દાહોદ: ઝાલોદના સારમારીયા ગામે તળાવમાં માછીમારી કરવા ગયેલા 5ના મોત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે તળાવમાં ડુબી જવાથી પાંચ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. તળાવમાં માછીવમારી કરવા ગયેલા ચાર માહિલા સહિત એક પુરુષનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. પાંચ લોકોના તળાવમાં ડુબીને મરી જવાથી પરિવારમાં માતમ છવાયો છે.

દાહોદ: ઝાલોદના સારમારીયા ગામે તળાવમાં માછીમારી કરવા ગયેલા 5ના મોત

હરીન ચાલીહા/દાહોદ: જિલ્લાના ઝાલોદ તાલુકાના સારમારીયા ગામે તળાવમાં ડુબી જવાથી પાંચ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. તળાવમાં માછીવમારી કરવા ગયેલા ચાર માહિલા સહિત એક પુરુષનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. પાંચ લોકોના તળાવમાં ડુબીને મરી જવાથી પરિવારમાં માતમ છવાયો છે.

તળાવમાં ડુબેલા તમામને તાળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. મૃતક પાંચેય લોકો તળાવમાં માછીમારી કરવા માટે ગયા હતા. અને કોઇ કરાણો સર તમામ પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોને બહાર પાણીમાં બહાર કાઢીને પી.એમ માટે લીમડી તેમજ ઝાલોદની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news