કેવી બલિહારી! દીકરીએ પ્રેમલગ્ન કરી લેતાં પરિવારનો સામૂહિક આપઘાત, ભાઈ-પિતાનું મોત

ધોળકાના મફલીપરા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કેવી બલિહારી! દીકરીએ પ્રેમલગ્ન કરી લેતાં પરિવારનો સામૂહિક આપઘાત, ભાઈ-પિતાનું મોત

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં પ્રેમલગ્નના કારણે વધુ એક પરિવાર નંદવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘોળકામાં પોતાની વ્હાલસોયી દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. દીકરીએ પ્રેમલગ્ન કરતા સમાજમાં આબરૂ જવાની બીકે પરિવારે મોતને વ્હાલું કર્યું છે.

ધોળકામાં રહેતાં મફલીપરા વિસ્તારના એક પરિવારે કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આપઘાતના આ બનાવમાં પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિ સારવાર હેઠળ છે. પરંતુ આત્મહત્યા કરવા પાછળનાં કારણોની ધોળકા પોલીસ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાના બનાવને પગલે ધોળકામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ધોળકાના મફલીપરા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર દીકરીએ લવ મેરેજ કર્યા હોવાના પગલે માઠું લાગી આવતા પરિવાર આપઘાત કર્યો હતો. જેમાં પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત થયું છે, જ્યારે બે વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં કિરણભાઈ ગલાભાઈ (ઉ.વ 52, ધંધો નોકરી) અને હર્ષ કુમાર કિરણભાઈનું મોત થયું છે. આ પરિવાર મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હસનાપુર ગામનો હતો. પરંતુ તેઓ હાલ રામદેવનગર સોસાયટી મફલીપુરમાં રહે છે. જ્યારે નિતાબેન કિરણભાઈ (ઉ.વ 50 ધંધો ઘરકામ) અને હર્ષિલભાઈ કિરણભાઈ (ઉ,વ 19 ધંધો અભ્યાસ) ને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે ધોળકાના આ પરિવારે સામુહિક આપઘાતનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. પરંતુ તેમ છતાં પરિવારે કયાં કારણોસર ઝેરી દવા પી લીધી તે જાણી શકાયું નથી. ધોળકો પોલીસે કારણો જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news