સ્વાઇન ફ્લૂથી મહિસાગરમા એક વ્યક્તિનું મોત, આરોગ્ય વિભાગમાં દોડધામ શરૂ

મહિસાગર જિલ્લાના વીરપુરમાં પણ એક વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મોત થતા તંત્ર પણ દોડતું થયું છે.

સ્વાઇન ફ્લૂથી મહિસાગરમા એક વ્યક્તિનું મોત, આરોગ્ય વિભાગમાં દોડધામ શરૂ

મહેસાણા: વરસાદ વિરામ લીધા બાદ રાજ્યમાં રોગનું પ્રમાણ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સ્વાઈન ફ્લૂથી મોતના આંકડાઓ વધી રહ્યા છે. તેવામાં મહિસાગર જિલ્લાના વીરપુરમાં પણ એક વ્યક્તિનું સ્વાઈન ફ્લૂથી મોત થતા તંત્ર પણ દોડતું થયું છે. મહત્વનું છે, કે છેલ્લા ધણાં સમયથી વીરપુરના બચુભાઈ મહેરા ખેડા જિલ્લાની કરમસદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અત્યાર સુધીમાં સ્લાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓના મોત થતા મહિસાગર આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news