Bihar Lockdown Extended: બિહારમાં લૉકડાઉન 25 મે સુધી લંબાવાયું, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Bihar Lockdown Extended: બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સમીક્ષા બેઠક બાદ પ્રદેશમાં 25 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. 

Bihar Lockdown Extended: બિહારમાં લૉકડાઉન 25 મે સુધી લંબાવાયું, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

પટનાઃ bihar Lockdown Extended: મહારાષ્ટ્ર બાદ બિહારમાં નીતીશ કુમારની સરકારે પણ રાજ્યમાં લૉકડાઉન લંબાવી દીધુ છે. હવે રાજ્યમાં 25 મે સુદી લૉકડાઉન જારી રહેશે. આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠકમાં નીતીશ કુમારે સહયોગીઓ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યારબાદ રાજ્યમાં 16 મેથી 25 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને જામકારી આપી અને લૉકડાઉનું કારણ જણાવતા કહ્યું કે, પ્રતિબંધોને કારણે કોરોના કેસમાં ઘટાડો થયો છે. કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે લૉકડાઉનનું પાલન જરૂરી છે. તેથી લૉકડાઉનને વધુ 10 દિવસ માટે વધારવામાં આવે છે. 

— Nitish Kumar (@NitishKumar) May 13, 2021

આ વખતે લૉકડાઉનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લગ્ન સમારહોમાં માત્ર 20 લોકો સામેલ થઈ શકશે. તો શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં દુકાન ખોલવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે. શહેરી ક્ષેત્રોમાં શાકભાજી, ઈંડા, માંસ, માછલીની દુકાનો સવારે 10 વાગ્યા સુધી ખુલી રહેશે. તો ગ્રામીણ વિસ્તારમાં 12 કલાક સુધી ચાલુ રહેશે. બાકી અન્ય પ્રતિબંધો પહેલાની જેમ યથાવત રહેશે. 

મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે બિહારમાં પણ હાહાકાર મચ્યો છે, પરંતુ છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. બિહારમાં 16 મે સુધી લૉકડાઉન લાગૂ છે અને આ દરમિયાન નિયમો કડક કરવામાં આવ્યા છે. શાળા-કોલેજ અને તમામ પ્રકારની શિક્ષણ સંસ્થા બંધ રાખવામાં આવી છે. જાહેર સ્થળો પર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. રાજ્યમાં સિનેમા હોલ, થિએટર, જિમ, ધાર્મિક સ્થળો પણ બંધ છે. લગ્ન સમારોહને લઈને પણ દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા  3,62,727 લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,37,03,665 પર પહોંચ્યો છે. જેમાંથી 1,97,34,823 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 37,10,525 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં 4120 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો 2,58,317 પર પહોંચ્યો છે. એક દિવસમાં જો કે 3,52,181 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,72,14,256 લોકોનું રસીકરણ કરાયું છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news