અમેરિકાએ ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા? વિદેશમંત્રીએ આપ્યો જવાબ
અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા જેઓ સૈન્ય વિમાનમાં ભારત આવ્યા. આ બધા વચ્ચે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી પહેરાવીને પગમાં બેડી બાંધીને મોકલવામા ંઆવતા ભારે હંગામો મચ્યો છે. વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ અંગે જવાબ આપ્યો. જાણો શું કહ્યું.
Trending Photos
અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવા માટે વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ તમામ ભારતીયોને કેમ અમેરિકી વાયુસેનાના વિમાનમાં હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યા હતા? એસ જયશંકરે જણાવ્યું કે આ તમામ દેશોની જવાબદારી છે કે જો તેમના નાગરિક વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા મળી આવે તો તેમને પાછા લઈ લેવા જોઈએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમેરિકામાં લોકોને પાછા મોકલવાની (ડિપોર્ટ કરવાનું) પ્રક્રિયા ત્યાંની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી કરે છે.
Speaking in Rajya Sabha on Indian citizens deported from US, EAM Dr S Jaishankar says, "The deportation by the US are organised and executed by Immigration and Customs Enforcement ( ICE) authority. The SOP of deportation by aircraft used by ICE which is effective from 2012… pic.twitter.com/q7wxHvUETa
— ANI (@ANI) February 6, 2025
કેમ હાથ પગ બાંધવામાં આવ્યા?
ભારતીયોને સાંકળથી હાથ પગ બાંધવા અંગે મચેલા વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે, 2012થી લાગૂ એક નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને (રિસ્ટ્રેન) રાખવામાં આવે છે. પરંતુ ICE એ અમને જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો આ પ્રક્રિયાથી મુક્ત હોય છે. એટલે કે તેમને બાંધવામાં આવતા નથી. જો કે એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમે અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે પાછા ફરનારા લોકો સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય.
Speaking in Rajya Sabha on Indian citizens deported from the US, EAM Dr S Jaishankar says, "We are engaging the US govt to ensure that the deportees not be mistreated in any manner. At the same time, the House will appreciate that our focus should be on the strong crackdown… pic.twitter.com/IEIm8NWVS3
— ANI (@ANI) February 6, 2025
અમેરિકાથી ભારત પાછા લાવવામાં આવેલા 104 ભારતીયો મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનો આ મામલો કોઈ નવો નથી. અમેરિકી નિયમો મુજબ આ રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ કહ્યું કે ડિપોર્ટેશનનો નિયમ કોઈ નવો નથી. અનેક વર્ષોથી આવું થાય છે. 2012થી જ આ નિયમ લાગૂ છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે.
આંકડા ગણાવ્યા
તેમણે 2009થી અત્યાર સુધીના આંકડા પણ ગણાવ્યા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદે અપ્રવાસીઓને પાછા મોકલવામાં આવે છે. અમેરિકા ડિપોર્ટેશનનું કામ ICI વિભાગ હેઠળ કરે છે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 2012થી જ પ્રભાવી છે. લીગલ મોબિલિટીને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકોને રોકવા એ અમારી સામૂહિક જવાબદારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે