રાજકોટની સિવિલ હૉસ્પિટલના વોર્ડમાં 'મૂષકરાજ'! દર્દીના બેડ પાસે ઉંદર ફરતા હોય તેવો VIDEO વાયરલ

રાજકોટની સિવિલ હૉસ્પિટલના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. હૉસ્પિટલમાં દર્દીના બેડ પાસે ઉંદર ફરતા હોય તેવા દ્રશ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલ એવી રાજકોટની PDU હૉસ્પિટલના દ્રશ્યો. સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો વાયરલ

રાજકોટની સિવિલ હૉસ્પિટલના વોર્ડમાં 'મૂષકરાજ'! દર્દીના બેડ પાસે ઉંદર ફરતા હોય તેવો VIDEO વાયરલ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલએ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પિટલ સુવિધાને બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં રહે છે. સિક્યુરિટી, સિવિલની અંદર શ્વાન, મચ્છર-માકડ, મેડિકલમાં અપૂરતી દવાઓ સહિતના મુદ્દે સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવતી હોય છે. તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી વિડિયો વાયરલ થયો હતો જેમાં ઉંદરનો ત્રાસ જોવા મળે છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યો હતો. 

ઉંદરના લીધે આખી રાત જાગવું પડે છે...
સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ખૂબ જ ત્રાસ છે દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉંદર ક્યારેક ફ્રુટ ખાઈ જાય છે તો ક્યારેક દર્દીઓને બચકા ભરી લે છે રાત્રી દરમિયાન પાંચ થી છ ઉંદર જોવા મળતા હોય છે આ અંગે હોસ્પિટલ સ્ટાફને પણ રજૂઆત કરી છે પરંતુ યોગ્ય નિરાકરણ આવતું ન હોવાથી રાત્રિના દર્દીનું ધ્યાન રાખવા માટે અમારે તેમની બાજુમાં રહીને જાગવું પડતું હોય છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 6, 2025

એજન્સીને કામ સોંપાઈ ગયું છે....
સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ અંગે સિવિલ સુપ્રિટેન્ડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉંદરના ત્રાસ અંગેની ફરિયાદ મને આવી છે. બે ત્રણ દર્દીઓને ઉંદરના લીધે હેરાનગતિ થઈ છે તે અંગેનું મને દુઃખ છે જેથી 16 ડિસેમ્બરના રોજ ઉંદર અને પેસ્ટ કન્ટ્રોલ માટેનો કોન્ટ્રાક્ટ સેન્ટ્રલ એજન્સીને અપાઈ ગયો છે પરંતુ સેન્ટ્રલ એજન્સી હજુ સુધી કામ કરવા માટે આવી નથી સેન્ટ્રલ એજન્સીને અનેક વખત રિપીટેડ રિમાઇન્ડર પણ આપવામાં આવ્યા છે પરંતુ તેમના તરફથી જવાબ આપવામાં આવ્યો નથી સેન્ટ્રલ એજન્સીને વારંવાર યાદી આપવા છતાં પણ વાયદાઓ મળ્યા રાખે છે 

એજન્સી કામ ન કરે તો કોન્ટ્રાક્ટ રદ કરી શકાય....
રાજકોટ સિવિલમાં ઉંદરના ત્રાસ લીધે દર્દીઓને હેરાનગતિ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ વાત કહેવાય...સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસ અંગેની વ્યવસ્થા કરવાની જવાબદારી સિવિલ સુપ્રિટેન્ડની છે. ઉંદરના ત્રાસને લીધે દર્દીઓને જે હાલાકી પડી રહી છે તેનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જોઈએ. કોઈપણ એજન્સીને કોન્ટ્રાક આપીને કામ પૂરું થતું નથી કોઈપણ એજન્સી કામ કરે નહીં તો તેને પત્ર વ્યવહાર કે યાદી આપીને કામ ચલાવ ાઈ તેનો કોન્ટ્રાક્ટ જ રદ કરી નાખવો જોઈએ ઉપરાંત એજન્સી કામ કરતી નથી તો તે જોવાની જવાબદારી પદાધિકારીઓની પણ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news