ચંદ્રબાબૂ પર PMનો પ્રહાર, કહ્યું- ‘તમે સિનિયર છો ચૂંટણી હારવામાં, અમે નથી’

પીએમ મોદીએ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પર પ્રહાર કરતા કહ્યું કે, અહીંયના મુખ્યમંત્રી પણ પ્રદેશના વિકાસની જગ્યાએ મોદીને ગાળો આપવાની કોમ્પિટીશનના ચક્કરમાં બધુ ભૂલી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે ‘તમે અમારા સિનિયર છો, એટલા માટે તમારા સન્માનમાં અમે કંઇ બાકી રખ્યું નથી.

ચંદ્રબાબૂ પર PMનો પ્રહાર, કહ્યું- ‘તમે સિનિયર છો ચૂંટણી હારવામાં, અમે નથી’

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (10 ફેબ્રુઆરી) દક્ષિણના ત્રણ રાજ્યો આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને કર્નાટકના પ્રવાસે છે. તેના અંતર્ગત પીએમ મોદી આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં જનસભાનું સંબોધન કર્યું છે. ત્યાં તેમણે યોજનાઓની ભેટ આપી છે. સાથે જ મંચ પરથી વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતો. આ સાથે જ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પર નિશાન સાધ્યું હતું. જણાવી દઇએ કે મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ પીએમ મોદીના આ પ્રવાસનો વિરોધ કર્યો છે.

તેમણે મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે મહામિલાવટ ક્લબ એવા લોકોનું ક્લબ છે, જેમાં સામેલ લગભગ દરેક લોકો પણ ગરીબોને છેતરવા અને ભ્રષ્ટાચારના આરોપમાં કાયદાના શકંજામાં છે. આ ક્લબમાં મુખ્યમંત્રી નાયડૂ પણ સામેલ છે. કેટલાક લોકો લૂંટના પાયા પર મહામિલાવટની ભૂમિકા ભજવી રહ્યાં છે.

‘તમે ચૂંટણી હારવામાં સિનિયર છો’
પીએમ મોદીએ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે અમારા સિનિયર છો, એટલા માટે તમારા સન્માનમાં અમે કંઇ બાકી રખ્યું નથી. તમે સિનિયર છો પાર્ટી બદલવામાં, તમે સિનિયર છો બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં, તમે સિનિયર છો એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી હારવામાં અને હું તો તેમાં સિનિયર નથી.’ તેમણે કહ્યું કે ચંદ્રબાબૂ પહેલા જેને ગાળો આપે છે, પછી તેના જ ખોળામાં જઇને બેસી જાય છે. તેઓ તેમના સસરા (એનટી રામા રાવ)ની પીઠમાં છરાના ઘા મારવામાં સિનિયર છે.

‘સીએમ નાયડૂ મોદીને ગાળો આપવામાં લાગ્યા’
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, દેશમાં એલપીજીનું આપવું 1955માં શરૂ થયું હતું. ગત 65 વર્ષમાં માત્ર 5 કરોડ એલપીજીના નવા કનેક્શન આપવામાં આવ્યા હતા. અમારી સરકારે ગત પાંચ વર્ષમાં 16 કરોડ નવા કનેક્શન આપ્યા છે. જે લોકોએ દેશને ધૂમાડામાં છોજી દીધો હતો. તેઓ દેશમાં જૂઠાણું ફેલાવવામાં લાગ્યા છે. મહામિલાવટની અસર છે કે અહીંયના મુખ્યમંત્રી પણ મોદીને ગાળો આપવાની કોમ્પિટીશનમાં લાગ્યા છે.

‘ફોટો પડાવવા જઇ રહ્યાં છે દિલ્હી’
પીએમ મોદીએ 11 ફેબ્રુઆરીએએ દિલ્હીમાં યોજાનાર ચંદ્રબાબૂ નાયડૂની રેલી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ (સીએમ નાયડૂ) કાલે ફોટો પડાવવા માટે દિલ્હી જવાના છે. મોટી ભીડ લઇને જવાના છે., પાર્ટીનું બિગુલ વગાડવા જઇ રહ્યાં છે. પરંતુ ભાજપ તેમના કાર્યકર્તાઓને પૈસાથી કાર્યક્રમ કરાવી રહી છે. તો આંધ્ર પ્રદેશની જનતા તિજોરીથી પૈસા કાઢીને જઇ રહી છે.

‘પોતાના દિકરાને રાઇઝ બનાવ્યો’
પીએમ મોદીએ કહ્યું કે ટીડીપીના નેતા પહેલા જે કોંગ્રેસ ફ્રી ઇન્ડિયાની વાત કરતા હતા, આજે તે જ કોંગ્રેસનું સમર્થન કરી રહ્યાં છે. ચંદ્રબાબૂ નાયડૂએ આંધ્ર પ્રદેશના સનરાઇઝ (ઉદય)નું વચન આપ્યું હતું, પરંતુ પોતાના સન (પુત્ર)ને રાઇઝ કરવામાં લાગ્યા છે. તેમણે આંધ્રના ગરીબો માટે નવી યોજનાઓ લાવવાનું વચન આપ્યું હતું પરંતુ મોદીની યોજનાઓ પણ પોતાનું સ્ટીકર લગાવી દીધુ છે.

‘આપી યોજનાઓની ભેટ’
પ્રધાનમંત્રીએ અહીંયા પેટ્રોલિયમ અને ગેસ સાથે જોડાયેલી 6825 કરોડ રૂપિયાની બે યોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી છે. સાથે જ તેમણે રિમોર્ટ કંટ્રોલ દ્વારા નેલ્લોર જિલ્લામાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની એક કોસ્ટલ ટર્મિનલનો પાયો નાખ્યો છે. તેમમે કહ્યું કે અમારુ લક્ષ્ય ન્યૂ ઇન્ડિયાને પ્રદુષણરહિત આર્થિક શક્તિ બનાવવામાં આવે. અમરાવતી નવા ભારત અને નવા આંધ્ર પ્રદેશનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની હૃદય યોજના અંતર્ગત અમરાવતીને હેરીટેજ સિટી તરીકે પંસદગી કરવામાં આવી છે. તેમણે આ વખતે લોકસભા ચૂંટણીમાં પહેલી વખત વોટિંગ કરવા જઇ રહેલા લોકોને શુભકામનાઓ પાઠવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news