માયાવતીએ મહાગઠબંધનને એક તરફી વોટિંગની અપીલ કરી, ECએ અહેવાલ માંગ્યો

સહારનપુરમાં મહાગઠબંધને લોકસભા ચૂંટણી 2019નાં અભિયાનનું બ્યુગલ ફુંક્યું હતું

માયાવતીએ મહાગઠબંધનને એક તરફી વોટિંગની અપીલ કરી, ECએ અહેવાલ માંગ્યો

સહારનપુર : સપા-બસપા- રાલોદ મહાગઠબંધને પોતાની લોકસભા ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફુંકતા રવિવારે સહારનપુરમાં એક સંયુક્ત રેલી કરી. આ ચૂંટણી રેલીને સંબોધિત કરતા બસપા પ્રમુખ માયાવતી વિવાદોમાં ઘેરાઇ ગયા છે. તેમાં તેમણએ ધર્મના આધારે મતદાન કરવાની અપીલ કરી. આ રેલીમાં તેમણે મુસ્લિમ વોટર્સને અપીલ કરતા કહ્યું કે, તેઓ ચૂંટણીમાં એકતરફી મતદાન કરે. તેમણે મુસ્લિમ મતદાઓનું આહ્વાન કરતા કહ્યું કે, કોંગ્રેસ નહી પરંતુ માત્ર મહાગઠબંધન જ ભાજપ સામે લડી શકે છે. કોંગ્રેસે મહાગઠબંધનને હરાવવા માટે જ પોતાનાં ઉમેદવાર ઉભા કર્યા છે. જો ભાજપને હરાવ્યા છે તો મુસ્લિમ સમાજનાં તમામ લોકો પોતાનાં મતનું વિભાજન કર્યા વગર મહાગઠબંધનને એકતરફી મતદાન કરે. 

માયાવતીનાં આ ભાષણ પર વિવાદ પેદા થઇ ગયો છે. ભાજપે આનો વિરોધ વ્યક્ત કર્યો છે તો બીજી તરફ ઇલેક્શન કમિશનને આ રેલી અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. ધર્મનાં આધારે મત માંગવો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. સ્થાનીક તંત્ર સાથે માયાવતીની સ્પીચ અંગે અહેવાલ માંગ્યો હતો. સહારનપુરનાં દેવબંધમાં બસપા પ્રમુખ માયાવતીએ બિઝનોર, કૈરાના, મુજફ્ફરનગર, બાગપત અને સહારનપુર લોકસભા સીટો પર મુસ્લિમ સમાજ સાથે મહાગઠબંધનના પક્ષમાં એકતરફી મતદાન કરવાની અપીલ કરી. 

ભાજપ અને કોંગ્રેસ બંન્ને પર શાબ્દિક પ્રહાર કર્યો
માયાવતીએ કહ્યું કે, આઝાદી બાદથી અત્યાર સુધી કોંગ્રેસ, ભાજપ તથા અન્ય સરકારો દેશહિતનાં મુદ્દે મોટે ભાગે નિષ્ફળ જ રહે છે. જનતાને તેમને હવે વધારે અજમાવવાની જરૂર નથી. આ તમામ વિરોધી પાર્ટીઓને કોઇ પણ કિંમત પર સત્તામાં નથી આવવા દેતા. તેમણે જનતાને જણાવ્યું કે, તમને ડોક્ટર ભીમરાવ આંબેડકર, રામ મનોહર લોહિયા અને ચૌધરી ચરણ સિંહનાં સપાઓને પુરા કરે છે. 

માયાવતીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રની ગત્ત કોંગ્રેસ સરકારની જ જેમ હાલનાં ભાજપ સરકારે દલિત, પછાત, મુસલમાન તથા અન્ય ધાર્મિક લઘુમતીઓને કોઇ ખાસ વિકાસ નથી કર્યો. સમગ્ર દેશમાં અનામતનો કોટા ખાલી પડ્યો છે. પહેલા કોંગ્રેસ અને ભાજપ હવે ખાનગી ક્ષેત્રમાં અનામતની વ્યવસ્થા કર્યા વગર ખાનગી ક્ષેત્ર દ્વારા જ કામ કરાવીને ઘન્નાસેઠોને જ કામ આપવામાં આવી રહ્યું છે. 

ગરીબી દુર કરવાની નવી ફોર્મ્યુલા
માયાવતીએ ગત્ત દિવસોમાં બહાર પડાયેલ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની આલોચના કરતા કહ્યું કે, કોંગ્રેસનાં વડાએ દેશનાં અતિ ગરીબોને મતદાન માટે લલચાવવા મુદ્દે દર મહિને 6 હજાર  રુપિયા ચુકવવાની વાત કરી છે, તેના કારણે ગરીબીનું કોઇ ઉકેલ નહી નિકળે. જો કેન્દ્રમાં અમારી સરકાર બની તો તેઓ અતિગરીબ પરિવારોને 6 હજાર રૂપિયા ચુકવવાનાં બદલે તેમને સરકારી અને બિન સરકારી ક્ષેત્રોમાં સ્થાયી રોજગાર આપવાની વ્યવસ્થા કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news