Corona ટેસ્ટની આ નવી પદ્ધતિ ભારતને જીતાડશે 'અદ્રશ્ય દુશ્મન' સામેનું યુદ્ધ? જાણો સમગ્ર વિગતો

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. લેટેસ્ટ માહિતી મુજબ આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે અને 21393 દર્દીઓ છે જ્યારે 681 લોકોના મોત થયા છે. જેમ જેમ ભારતમાં ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે તેમ તેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં હોટસ્પોટ છે ત્યાં તો લોકોની મોટા પાયે ટેસ્ટિંગ થઈ રહી છે પરંતુ ઓછા સંક્રમણવાળા વિસ્તારોમાં પણ વધુ સેમ્પલ લઈને ટેસ્ટની ગતિને વધારી શકાય...તે માટે આઈસીએમઆર (ICMR) તરફથી આ વિસ્તારોમાં પૂલ ટેસ્ટિંગ કરાવવા અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે. 
Corona ટેસ્ટની આ નવી પદ્ધતિ ભારતને જીતાડશે 'અદ્રશ્ય દુશ્મન' સામેનું યુદ્ધ? જાણો સમગ્ર વિગતો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. લેટેસ્ટ માહિતી મુજબ આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે અને 21393 દર્દીઓ છે જ્યારે 681 લોકોના મોત થયા છે. જેમ જેમ ભારતમાં ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે તેમ તેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં હોટસ્પોટ છે ત્યાં તો લોકોની મોટા પાયે ટેસ્ટિંગ થઈ રહી છે પરંતુ ઓછા સંક્રમણવાળા વિસ્તારોમાં પણ વધુ સેમ્પલ લઈને ટેસ્ટની ગતિને વધારી શકાય...તે માટે આઈસીએમઆર (ICMR) તરફથી આ વિસ્તારોમાં પૂલ ટેસ્ટિંગ કરાવવા અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે. 

શું છે આ પૂલ ટેસ્ટિંગ?
ICMRનું કહેવું છે કે પૂલ ટેસ્ટથી ટેસ્ટની સ્પીડ વધશે અને સમય તથા પૈસાની બચત પણ થશે. પરંતુ આ પૂલ ટેસ્ટ આખરે છે શું અને કોરોનાને હરાવવામાં તે કેટલો સફળ નીવડશે? આવો આપણે જાણીએ તે વિશે...

પૂલ શબ્દથી જ જાણવા મળે છે કે સમાવેશ થવો એટલે કે અનેક લોકોની તપાસ એક જ વારમાં કરવામાં આવશે. ICMRની ગાઈડલાઈન મુજબ વધુમાં વધુ પાંચ લોકોની એક સાથે પૂલ ટેસ્ટિંગ કરવામાં આવી શકે છે. આ બાજુ  કેટલીક લેબ સેમ્પલ લઈને પણ ટેસ્ટ કરી રહી છે. 

ICMRના ચીફ સાયન્ટિસ્ટ ડોક્ટર રમન ગંગાખેડકરના જણાવ્યાં મુજબ પૂલ ટેસ્ટ માટે સેમ્પલ તે જ વિસ્તારોમાંથી ભેગા કરાશે જ્યાં કોરોના પોઝિટિવ કેસ 2થી 5 ટકા છે એટલે કે ગ્રીન ઝોન. જેનાથી ટેસ્ટનો ખર્ચ પણ ઓછો થશે. 

જુઓ LIVE TV

કેવી રીતે થાય છે પૂલ ટેસ્ટિંગ?
પૂલ ટેસ્ટિંગમાં 3થી 5 લોકોના નાક અને ગળાના સ્વેબ સેમ્પલ લેવામાં આવે છે અને એક એક સેમ્પલની તપાસ કરવાની જગ્યાએ તમામ સેમ્પલ્સ ભેગા કરીને તપાસ થાય છે. જો કોઈ એકનો પૂલ ટેસ્ટ નેગેટિવ આવ્યો તો તમામ નેગેટિવ ગણવામાં આવે છે. પરંતુ જો કોઈ એકનો પણ પૂલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો બાકીના તમામ પાંચ લોકોના સેમ્પલ ફરીથી તપાસવામાં આવશે. 

પૂલ ટેસ્ટિંગ ક્યાં થશે?
પૂલ ટેસ્ટથી ભલે જલદી ટેસ્ટિંગ થઈ શકે અને અનેક ટેસ્ટ કિટ બચાવી શકાય પરંતુ તે દરેક જગ્યાએ થઈ શકશે નહીં. પૂલ ટેસ્ટિંગ એ જ વિસ્તારોમાં થઈ શકે જ્યાં કોરોના વાયરસના કેસ 2 ટકાથી ઓછા હોય. સેમ્પલ પૂલિંગ તે વિસ્તારો માટે નથી જ્યાં પોઝિટિવ કેસોની સંખ્યાનો રેટ 5 ટકાથી વધારે હોય. જે હેઠળ 2થી વધુ સેમ્પલ પૂલ કરી શકાય છે. ICMR વધુમાં વધુ 5 સેમ્પલ પૂલ કરવાની સલાહ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news