સરલાદીદી News

બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ માટે દુખદ સમાચાર, રાજયોગીની સરલાદીદીનું થયું નિધ
વિશ્વભરમાં વ્યાપેલી ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગીની એવા સરલાદીદીનું ગઈકાલે નિધન થયું છે. ગઈકાલે બપોરે 12.10 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેને કારણે વિશ્વભરમાં રહેતા બ્રહ્માકુમારીઝના અનુયાયીઓમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. સરલાદીદીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સરલાદીદી સાથેની તસવીર શેર કરીને પોતાના ટ્વિટર પર લખ્યું કે, બ્રહ્મકુમારીઝ પરિવાર સાથે જોડાયેલ રાજયોગીની સરલા દીદીના નિધનથી દુખ થયું છે. તેમણે મહેનત, સેવા અને કરુણાને અપનાવી. હું શૌભાગ્યશાળી છું કે, મને હંમેશા તેમની શુભકામનાઓ મળી છે. હું બ્રહ્માકુમારીઝ પરિવાર અને તેમના અનુયાયીઓની સાથે છું. શાંતિ.
Jun 7,2019, 8:27 AM IST

Trending news