હાર્દિક પટેલ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યુ છે: અલ્પેશ કથીરિયા

પાટીદાર સમાજની કમનસીબી કે હાર્દીકની પત્નીએ કેસ પરત ખેંચાવવા માટે ઘરથી બહાર નીકળવું પડ્યું છે. સરકાર 10થી 15 કેસ પરત ન ખેંચે તો કંઇ વાંધો નથી. આપણે કોર્ટમાં મળતા રહીશું. સરકારે જુના કેસ કેમ ફરી ખોલ્યાએ ખબર પડતી નથી. 1500 કેસ નાંધાયા હતા. 400 કેસ પરત ખેંચવાનું લીસ્ટ બનાવ્યું હતું. માત્ર 200 કેસ પરત ખેંચાયા છે. જો સરકાર કેસ પરત ન ખેંચવાની હોય તો તે જાહેરાત કરે. અમે અમારા રસ્તે ચાલશું. જે લોકો ભાજપામાં ભળ્યા છે એ આજે પણ કોર્ટની તારીખો ભરે છે.

Trending news