અમરેલી: ફુડપોઇઝનિંગ થતા 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડાયા...

અમરેલીનાં લાઠીના ભુરખીયામાં સગાઇ પ્રસંગમાં ફુડપોઇઝનિંગની અસર. 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સગાઇમાં રબડી ખાધા બાદ અચાનક તબિયત બગડી હતી. જો કે અચાનક 100 જેટલા ફુડપોઇઝનિંગનાં કેસ આવતા સ્થાનિક હોસ્પિટલમાં પણ દોડાદોડ થઇ ગઇ હતી. તંત્રને આ અંગે માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Trending news