ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે એક્ઝામ
ધોરણ 3થી ધોરણ 8 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા લેવામાં આવશે. 7 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા 25 એપ્રિલે સમાપ્ત થશે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ 3થી ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યભરની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધી પૂર્ણ થઈ જશે. પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
7 એપ્રિલથી શરૂ થશે પરીક્ષા
ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. હવે ધોરણ 3થી 8માં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ધોરણ 3થી 8ની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધી સમાપ્ત થશે. આ માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
રાજ્યની તમામ શાળાઓ માટે જાહેર કરવામાં આવેલા નિયમો પ્રમાણે ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને અલગથી ઉત્તરવહી આપવામાં આવશે જેમાં જવાબો લખવાના રહેશે. સત્રાંત પરીક્ષા અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે