વડોદરાઃ MS યુનિવર્સિટીમાં અધ્યાપકો ધરણા પર બેઠા

વડોદરામાં MS યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં અધ્યાપકો બેનરો અને પોસ્ટરો સાથે ધરણા પર બેઠા. યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓને આજદિન સુધી 7મા પગાર પંચનો લાભ ન મળ્યો હોવાના આક્ષેપ લગાવામાં આવ્યા છે.... બીજી શૈક્ષણિક સંસ્થાઓના મુકાબલે ms યુનીવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓનું પગાર ધોરણ ખુબજ ઓછું છે. તેમજ નિવૃત થયેલા કર્મચારીઓને સમય સર પેન્શન ન મળતુ હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે... આ તમામ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માગ સાથે અધ્યાપકો ધરણા પર બેઠા હતા.

Trending news