Mithun Chakrabortyના પિતાનું મુંબઇમાં અવસાન, બેંગ્લુરુમાં ફસાયેલા છે અભિનેતા

બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ના પિતાનું મંગળવારે મુંબઇમાં અવસાન થયું છે. પરંતુ દેશમાં લોકડાઉનના કારણે અભિનેતા બેંગલુરૂમાં ફસાયા છે. 95 વર્ષના બસંત કુમાર ચક્રવર્તીનું કિડની નિષ્ફળ થવાથી અવસાન થયું છે.
Mithun Chakrabortyના પિતાનું મુંબઇમાં અવસાન, બેંગ્લુરુમાં ફસાયેલા છે અભિનેતા

નવી દિલ્હી: બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ના પિતાનું મંગળવારે મુંબઇમાં અવસાન થયું છે. પરંતુ દેશમાં લોકડાઉનના કારણે અભિનેતા બેંગલુરૂમાં ફસાયા છે. 95 વર્ષના બસંત કુમાર ચક્રવર્તીનું કિડની નિષ્ફળ થવાથી અવસાન થયું છે.

મુંબઇ આવાનો પ્રયાસ કરી રહ્યા છે મિથુન ચક્રવર્તી
મિથુન ચક્રવર્તી તેમના પિતાના અંતિમ સંસ્કાર માટે મુંબઇ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સમાચાર એજન્સી IANS અનુસાર, તઓ શુટિંગ મામલે બેંગાલુરૂ ગયા હતા. તેમનો મોટો પુત્ર મહાક્ષય, જે મીમોહના નામથી પણ જાણીતો છે. પરિવારના બાકી સભ્યો સાથે મુંબઇમાં છે.

મિથુન, જેમનું સાચુ નામ ગૌરાંગ ચક્રવર્તી છે, તે બસંતકુમાર ચક્રવર્તીના ચાર બાળકોમાં સૌથી મોટો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news