ખંભાતથી બે દિવસ પહેલા બાળકને વડોદરા લાવવામાં આવ્યો હતો, કોંગો ફિવરથી થયું મોત

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત નિપજ્યું છે. આ બાળકને ખંભાતથી ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા દાખલ કરાયો હતો. બાળ દર્દીનો ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોંગો હોવાની શંકા ઉપજતાં તેનો રિપોર્ટ કઢાવાયો હતો. કોંગોના કારણે બાળ દર્દીના મોત બાદ હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મીટીંગ બોલાવી જરૂરી આયોજન કરાયું છે. વડોદરામાં છેલ્લા અઠવાડિયામાં શહેર જિલ્લામાં કોંગોના બે દર્દીઓ પોઝીટીવ કેસ નોંધાયા હતા. 
ખંભાતથી બે દિવસ પહેલા બાળકને વડોદરા લાવવામાં આવ્યો હતો, કોંગો ફિવરથી થયું મોત

તૃષાર પટેલ/વડોદરા :વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં સાત વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત નિપજ્યું છે. આ બાળકને ખંભાતથી ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા દાખલ કરાયો હતો. બાળ દર્દીનો ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોંગો હોવાની શંકા ઉપજતાં તેનો રિપોર્ટ કઢાવાયો હતો. કોંગોના કારણે બાળ દર્દીના મોત બાદ હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મીટીંગ બોલાવી જરૂરી આયોજન કરાયું છે. વડોદરામાં છેલ્લા અઠવાડિયામાં શહેર જિલ્લામાં કોંગોના બે દર્દીઓ પોઝીટીવ કેસ નોંધાયા હતા. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મૂકાયેલું મહાકાય ડાયનાસોરનું સ્ટેચ્યુ પડી ગયું

ગુજરાત સરકારના લાખ પ્રયત્ન છતાં રાજ્યમાં કોંગો ફિવર ઘટવાનું નામ લેતો નથી. રાજ્યભરમાં કોંગો ફીવરએ કહેર વર્તાવ્યો છે. ખાસ કરીને પશુઓ પર થતી ઈતરડી વ્યક્તિઓને કરડતા કોંગો ફીવર થતો હોય છે. ત્યારે આરોગ્ય તંત્ર આ કોંગો ફિવરને ડામવા ફોગીંગ સહિતની કામગીરી કરી રહ્યું છે અને શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના પણ રીપોર્ટ કરાવી રહી છે.

શું છે કોંગો ફિવર
કોંગો ફિવરે હાલ રાજ્યમાં ભય ઉભો કર્યો છે. આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ' નામના પરજીવી રોગનું વાહક છે. માટે આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે. આ ખતરનાક વાયરસ શરીરમાં તાવ લાવે છે. સાથે માંસપેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુખાવો થાય છે. અને દર્દીને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે. અને ગળુ બેસી જાય છે. દર્દીને ઝાડ ઉલટી, સ્નાયુ દુખવા, તાવ આવે પછી શરીરના છિદ્રોમાંથી લોહી નીકળવા લાગે છે. શરીર પર લાલા ચકામા નીકળે છે. આ ફિવરમાં દર્દી બચવાની શક્યતા વધુ જોવા મળતી હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી હોતી. 

આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન

ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. ઈતરડી ગાય અને ભેંસના પૂછડીના ભાગમાંથી મળી આવે છે. પ્રથમ વખત 2011માં કોંગો વાયરસ ગુજરાતમાંથી મળી આવ્યો હતો. તેના બાદ કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, વડનગરમાં તેના દર્દીઓ જોવા મળ્યા હતા. કોલાટ ગામમાં સૌ પ્રથમ કોંગો ફિવરનો કેસ મળી આવ્યો હતો. 2011થી દર વર્ષે આ વાયરસના કેસ નોંધાય છે.

આ વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય અને પશુપાલન તેમજ ખેતીવાડી વિભાગ સાથે મળીને કામ કરે છે. આ મામલે પશુપાલન વિભાગ વાયરસવાળી ગાયો અને ભેંસોની સારવાર કરવાનું કામ કરે છે. પશુપાલન વિભાગે પ્રાણીઓના લોહીના નમૂના લીધા, જે દરેક જિલ્લામાંથી મળી આવ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news