GUJARAT CORONA UPDATE: 36 નવા કેસ, 44 સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાને કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 44 દર્દીઓ સાજા પણ થયા છે. જેના પગલે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 4,10,463 રસીના ડોઝ પણ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

GUJARAT CORONA UPDATE: 36 નવા કેસ, 44 સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાને કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 44 દર્દીઓ સાજા પણ થયા છે. જેના પગલે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 4,10,463 રસીના ડોઝ પણ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં હાલ કુલ 323 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 319 સ્ટેબલ છે. 8,16,770 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10070 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, અમદાવાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, કચ્છમાં 2, મહેસાણામાં 1,નર્મદામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 2, સાબરકાંઠામાં 2, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 7 અને વલસાડમાં 4 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 36 કેસ નોંધાયા છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6ને રસીનો પ્રથમ, જ્યારે 2212 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 11808 નાગરિકોને રસીનો પ્રથમ અને 95610 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35728 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 265099 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,10,463 રસીના ડોઝ અપાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news