'મેં આવો સીન પહેલા ક્યારેય જોયો નથી', નવી દિલ્લી રેલ્વે સ્ટેશન દુર્ઘટનાની હકીકત જાણી હૃદય કંપી જશે!
દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી અને વર્ષોથી સ્ટેશન પર કામ કરતા કુલીએ કહ્યું તે આ ઘટના કોઈને પણ ચોંકાવી શકે છે. સુગન લાલ મીણા છેલ્લા 43 વર્ષથી રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે તેમણે આવો સીન પહેલા ક્યારેય જોયો નથી.
Trending Photos
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં 9 મહિલા, 4 પુરૂષ અને 5 બાળકોનો સમાવેશ થાય છે. તેમાંથી સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના પ્લેટફોર્મ 13 અને 14 પર રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રેલવે સ્ટેશન પરથી જાણવા મળી રહ્યું છે કે મેં મારા સાથીઓ સાથે મળીને 15 મૃતદેહોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સમાં રાખ્યા. હું 1981થી અહીં કુલી તરીકે કામ કરું છું. આવી ભીડ ક્યારેય જોઈ નથી. પ્લેટફોર્મ બદલાઈ ગયું, જેના કારણે નાસભાગ મચી ગઈ. લોકો એકબીજા ઉપર ચઢી ગયા. મૃતદેહો જોયા બાદ હું ભોજન કરી શક્યા નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગ (પરિસ્થિતિ) થી હું આઘાત પામ્યો છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
પોર્ટરે શું કહ્યું?
"હું 1981 થી કુલી તરીકે કામ કરું છું, પરંતુ મેં આટલી ભીડ અગાઉ ક્યારેય જોઈ નથી. પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી ઉપડવાની હતી, પરંતુ તેને અચાનક પ્લેટફોર્મ નંબર 16 પર ખસેડવામાં આવી હતી. જ્યારે પ્લેટફોર્મ 12 પર રાહ જોઈ રહેલી ભીડ અને બહાર ઉભેલી ભીડએ પ્લેટફોર્મ 16 પર પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ઘણા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા."
તેમણે આગળ કહ્યું, "કેટલાક કુલી ત્યાં પહોંચ્યા અને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. અમે ઓછામાં ઓછા 15 મૃતદેહોને બહાર કાઢ્યા અને તેમને એમ્બ્યુલન્સમાં રાખ્યા. આખા પ્લેટફોર્મ પર ફક્ત પગરખાં અને કપડાં જ પથરાયેલાં હતાં. અમે પોલીસ અને ફાયર વિભાગને ફોન કર્યો, ત્યારબાદ 3-4 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા."
પ્લેટફોર્મ બદલવાને કારણે નાસભાગ મચી
રેલવે પ્રશાસને અચાનક ટ્રેનનું પ્લેટફોર્મ બદલી નાખ્યું. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો તે જ સમયે બીજા પ્લેટફોર્મ તરફ ભાગવા લાગ્યા, જેના કારણે ભીડ કાબૂ બહાર થઈ ગઈ. "લોકો એકબીજા પર ચઢી ગયા. ઘણા નીચે પડી ગયા અને મૃત્યુ પામ્યા," તેમણે કહ્યું. આ દુર્ઘટના બાદ સ્ટેશનનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. સુગન લાલ મીણાએ કહ્યું કે, "આટલા બધા મૃતદેહો જોયા પછી મેં ખાવાનું પણ ન ખાધુ. મારું મન વ્યગ્ર થઈ ગયું."
નાસભાગ કેસના અન્ય એક સાક્ષીએ જણાવ્યું હતું કે નાસભાગ લગભગ 9:30 વાગ્યે થઈ હતી. પ્લેટફોર્મ નંબર 13 પર હાજર લોકોએ જ્યારે પ્લેટફોર્મ 14 અને 15 પર ટ્રેનો જોઈ તો તેઓ આ પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા. ટ્રેનોના પ્લેટફોર્મ બદલાયા ન હતા, પરંતુ ભીડ એટલી બધી હતી કે તેને કાબૂમાં લઈ શકાયો ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે