પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ LIVE: ભાજપ પર વ્યંગ ચોકીદાર માત્ર અમીરોનાં જ હોય

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની યુપી યાત્રા દરમિયાન 3 દિવસીય ગંગા યાત્રાની શરૂઆત કરાવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ LIVE: ભાજપ પર વ્યંગ ચોકીદાર માત્ર અમીરોનાં જ હોય

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપી ચૂંટણી અધ્યક્ષ પ્રિયંકા ગાંધી પોતાની યુપીની મુલાકાત હેઠળ ગંગા યાત્રાની શરૂઆત પ્રયાગરાજથી કરી શકે છે. તેના માટે તેઓ પ્રયાગરાજ મલૈયા ગામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાળકો સાથે મુલાકાત કરી. ત્યાર બાદ પોતાની સ્ટીમ બોટ પર કોંગ્રેસ નેતાઓ સાથે સવાર થઇ ગયા છે. પ્રયાગરાજ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ સોમવારે સવારે ત્રિવેણી સંગમ તટ પર પુજા અર્ચના પણ કરી હતી. સાથે જ તેઓ પ્રયાગરાજના પ્રાચીન બડે હનુમાન મંદિર પણ ગયા હતા. અહીં તેમણે દર્શન કર્યા. ગંગા યાત્રાની શરૂઆત પહેલા પ્રિયંકા અહીં પત્રકાર પરિષદ પણ સંબોધિત કરશે. 

ચોકીદાર તો અમીરોનાં હોય છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા સીધો હુમલો કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ નવી રાજનીતિની શરૂઆત કરવા માટે યુપી મોકલ્યા છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, ખેડૂતો કે સામાન્ય વર્ગનાં નહી પરંતુ ચોકીદાર તો અમીરોનાં જ હોય છે. આજે દેશનાં ખેડૂતને ઉપજનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપનાં દિગ્ગજોએ ટ્વીટર પર પોતાનાં નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો છે.

लोकसभा चुनाव 2019: प्रयागराज पहुंचीं प्रियंका गांधी, कहा- 'दादी कहती थीं निडर बनो, सब अच्'€à¤›à¤¾ होगा'

પ્રયાગરાજનાં સ્વરાજ ભવન પહોંચીને પ્રિયંગા ગાંધીએ એક તસ્વીર ટ્વીટ કરી હતી. સ્વરાજ ભવનના આંગણામાં તે રૂમ દેખાઇ રહ્યો છે જ્યાં મારા દાદી (ઇંદિરા ગાંધી)નો જન્મ થયો હતો. રાત્રે સુતી વખતે દાદી મને જોન ઓફ આર્કની વાર્તા કહેતા હતા. આજે પણ તે વાર્તાઓ મારા હૃદયમાં ગુંજે છે. મારા દાદી હંમેશા કહેતા કે નિડર બનો અને સોનું સારૂ વિચારો. 

प्रयागराज: प्रियंका गांधी ने की बड़े हुनमान मंदिर में पूजा-अर्चना, आज शुरू करेंगी गंगा यात्रा

પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજમાં પોતાની ત્રણ દિવસીય ગંગા યાત્રાની શરૂઆત નાવથી કરી રહ્યા છે. 140 કિલોમીટર લાંબી આ ગંગા યાત્રા સ્ટીમર બોટ દ્વારા પ્રયાગરાજનાં છતનાગથી વારાણસીનાં અસ્સી ઘાટ સુધી થશે. તેઓ 20 માર્ચના રોજ વારાણસી પહોંચશે. પ્રિયંકા ગાંધી પોતાની ચાર દિવસીય યુપી મુલાકાત માટે રવિવારે લખનઉ પહોંચ્યા હતા. લખનઉમાં તેમણે આખો દિવસ કાર્યકર્તાઓ અને લોકસભા ચૂંટણી ઉમેદવારો સાથે બેઠક કરી હતી. આ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ માટે પ્રચાર કરવા માટે આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news