પ્રયાગરાજમાં 300 કિલોમીટર લાંબો જામ? હજારો ભક્તો કલાકો સુધી ફસાયા, VIDEOમાં જુઓ ખરાબ હાલત
MahaKumbh in Prayagraj: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામનો સિલસિલો 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી.
Trending Photos
MahaKumbh Prayagraj Traffic Jam: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામનો સિલસિલો 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી. વસંત પંચમીના અમૃત સ્નાન પછી એવી ધારણા હતી કે, ભક્તોની ભીડ ઓછી થશે, પરંતુ તેનાથી વિપરીત થઈ રહ્યું છે અને લાખો લોકો હજુ પણ પ્રયાગરાજ જવા રવાના થઈ રહ્યા છે.
अचानक से प्रयागराज महाकुम्भ मै बहुत भीड़ बढ़ गयी है
बसंत पंचमी की बेरुखी के साथ लग रहा था मेला की भीड़ खत्म यही सोचकर घर वालों को बुला लिया था अब लग गया है तगड़ा जाम... 🧐
कैसे होगा इंतजाम 😇#Prayagraj #Mahakumbh pic.twitter.com/6EjIV0Dxil
— 𝗦𝗨𝗡𝗶𝗟 𝗣𝗥𝗔𝗧𝗔𝗣 ᵖʳᵃʲᵃᵖᵃᵗⁱ (@SunilPtp) February 10, 2025
World’s biggest traffic jam! 🚗🚙
A 300-km-long traffic jam on the way to Maha Kumbh in Prayagraj left lakhs of pilgrims stuck in their vehicles for hours. Roads turned into parking lots as crowds rushed for the holy event.#MahaKumbh #TrafficJam pic.twitter.com/GqHNEdJB7M
— The Tatva (@thetatvaindia) February 10, 2025
મધ્યપ્રદેશમાં વાહનવ્યવહાર થંભી ગયો
ભારે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પોલીસે પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. રીવા ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IG) સાકેત પ્રકાશ પાંડેના જણાવ્યા અનુસાર "સોમવારે પ્રયાગરાજ તરફ જવું શક્ય નથી, કારણ કે ટ્રાફિક જામ 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે." તેમણે એમ પણ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે અને હવે પ્રયાગરાજ પ્રશાસન સાથે સંકલન કરીને જ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે.
#mahakumbh मे भारी संख्या में लोग आने से भीड़ और ट्रैफिक की समस्या उत्पन्न हो रही है। अपने वाहनों के साथ यात्रा करने वाले यात्रीगण, कृपया ध्यान दें कि #Kanti से #Prayagraj तक 270 किलोमीटर लंबा ट्रैफिक जाम लग गया है। आप सभी से विनम्र निवेदन है कि यदि संभव हो, #MahaKumbhMela2025 pic.twitter.com/XAZy8siHmK
— Hitesh Dubey – People's Voice (@HiteshForChange) February 9, 2025
The Maha Kumbh 2025 in Prayagraj is witnessing an overwhelming influx of devotees, leading to severe traffic congestion across major routes. https://t.co/Tq88V1LY7A pic.twitter.com/IxFwrWVNqo
— UpFront News (@upfrontltstnews) February 10, 2025
48 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયા મુસાફરો
રિપોર્ટ્સ અનુસાર ઘણા મુસાફરો 48 કલાકથી વધુ સમયથી જામમાં ફસાયેલા છે. એક મુસાફરે કહ્યું કે, "અમને માત્ર 50 કિલોમીટરનું અંતર કાપવામાં 10-12 કલાકનો સમય લાગી રહ્યો છે." જ્યારે વારાણસી, લખનૌ અને કાનપુરથી પ્રયાગરાજ જતા રસ્તાઓ પર 25 કિલોમીટર લાંબો જામ જોવા મળ્યો છે. શહેરની અંદર પણ સાત કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો.
Prayagraj Mahakumbh Hit by 300km Traffic Jam#WATCH Devotees stuck for hours as congestion cripples roads & rail travel. Despite sealed entry points, the entire city remains gridlocked. Authorities struggle to manage the influx.
— Benefit News (@BenefitNews24) February 10, 2025
300 km long traffic jam has choked roads to Prayagraj as lakhs of devotees head to Maha #kumbh. Vehicles stuck for hours, movement nearly impossible
Heavy congestion from Katni, Jabalpur, Maihar & Rewa in Madhya Pradesh
10-12 hours just to cover 50 km. Police halting vehicles,… pic.twitter.com/WIP8L5uLmr
— Nabila Jamal (@nabilajamal_) February 10, 2025
Traffic Jam of 15 KM before Jabalpur ...still 400 KM to prayagraj. Please read traffic situation before coming to Mahakumbh! #MahaKumbh2025 #mahakumbh #MahaKumbhMela2025 @myogiadityanath @yadavakhilesh #kumbhamela #kumbh pic.twitter.com/BKmJ3HNIx7
— Nitun Kumar (@dash_nitun) February 9, 2025
Today they have stopped traffic at MP border for entering into Prayagraj. Easily a 20-30 km jam. Time lapse video shot at 10x pic.twitter.com/VHGyfb0qSY
— Nitin (@123nitin) February 9, 2025
રેલવે સ્ટેશન પર પણ સ્થિતિ ગંભીર
પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને પણ મુસાફરોને અસુવિધા ન થાય તે માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે અધિકારી કુલદીપ તિવારીએ જણાવ્યું કે, "ભક્તોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી, તેથી સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો." હાલ પ્રયાગરાજ જંકશન સ્ટેશન પર ટ્રાફિક એક દિશામાં ચાલી રહ્યો છે. ટ્રાફિકના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલદીપ સિંહે જણાવ્યું કે, "વાહનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને મુસાફરો મહાકુંભ વિસ્તારની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે ત્યાં લાંબો ટ્રાફિક જામ છે."
Look at the traffic jam in Prayagraj in late evening. It's horrible pic.twitter.com/Yb8Vhmc7wv
— Jitender Singh Bhatia l JSB🇮🇳 (@Bhatia_Sikh) February 10, 2025
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુપી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાફિક જામના કારણે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. અધિકારીઓનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 46 લાખથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે, જ્યારે રિપોર્ટ્સ અનુસાર મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 44 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે