મન કી બાત: ભારતને આંખ દેખાડનારાઓને જડબાતોડ જવાબ મળશે-પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત  દ્વારા દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશ એક સાથે અનેક આફતો સામે લડી રહ્યો છે. કોરોના, તોફાન, તીડનું આક્રમણ અને પાડોશી દેશના પડકારો સહિત દેશ અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ વર્ષે અનેક પડકારો આવ્યાં પરંતુ તેના કારણે આ વર્ષ ખરાબ છે તેમ ન માનવું. ભારતનો ઈતિહાસ જ આફતો અને પડકારો પર જીત મેળવીને, વધુ નીખરવાનો રહ્યો છે. 

મન કી બાત: ભારતને આંખ દેખાડનારાઓને જડબાતોડ જવાબ મળશે-પીએમ મોદી

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત  દ્વારા દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશ એક સાથે અનેક આફતો સામે લડી રહ્યો છે. કોરોના, તોફાન, તીડનું આક્રમણ અને પાડોશી દેશના પડકારો સહિત દેશ અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ વર્ષે અનેક પડકારો આવ્યાં પરંતુ તેના કારણે આ વર્ષ ખરાબ છે તેમ ન માનવું. ભારતનો ઈતિહાસ જ આફતો અને પડકારો પર જીત મેળવીને, વધુ નીખરવાનો રહ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે "આ બધા વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્વારા જે થઈ રહ્યું છે, દેશ તે પડકારોને પણ પહોંચી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી આફતો, આ સ્તરની આફતો, ખુબ જ ઓછું જોવા અને સાંભળવા મળે છે." તેમણે કહ્યું કે "હજુ થોડા દિવસ પહેલા દેશના પૂર્વ છેડે અમ્ફાન તોફાન આવ્યું. તો પશ્ચિમ છેડે નિસર્ગ તોફાન આવ્યું. અનેક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ બહેનો તીડના આક્રમણથી પરેશાન છે. દેશના અનેક ભાગોમાં નાના મોટા ભૂકંપ અટકવાનું નામ લેતા નથી." 

પીએમ મોદીએ કહ્યું કે "ભારત મિત્રતા દેખાડવાનું જાણે છે તો આંખમાં આં નાખીને જવાબ આપવાનું પણ જાણે છે. આપણને આપણા વીરો પર ગર્વ છે." તેમણે કહ્યું કે સેંકડો વર્ષો સુધી અલગ અલગ આક્રાંતાઓએ ભારત પર હુમલો કર્યો, લોકોને લાગતું હતું કે ભારતની સંરચના જ નષ્ટ થઈ જશે પણ આ સંકટોમાંથી પસાર થઈને ભારત વધુ ભવ્ય થઈને સામે આવ્યું. 

તેમણે કહ્યું કે 'ભારતમાં જ્યાં એક બાજુ નાના મોટા સંકટો આવતા ગયા ત્યાં બધી બાધાઓને દૂર કરતા કરતા અનેક સર્જન પણ થયાં. નવા સાહિત્ય રચાયા, નવા અનુસંધાન થયા, નવા સિદ્ધાંત આવ્યાં, એટલે સંકટ દરમિયાન પણ આપણે દરેક ક્ષેત્રે સર્જનની પ્રક્રિયા ચાલુ રહી અને આપણી સંસ્કૃતિ પુષ્પિત અને પલ્લવિત થતી રહી.' 

તેમણે કહ્યું કે 'આ વર્ષે દેશ નવા લક્ષ્યાંક મેળવશે. નવી ઉડાણ ભરશે. નવી ઊંચાઈઓને આંબશે. મને પૂરો વિશ્વાસ 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર છે, તમારા બધા પર છે. આ દેશની મહાન પરંપરા પર છે.' 

પ્રધાનમંત્રીએ કહ્યું કે 'ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાને મદદ કરી, તેણે આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબુત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને મહેસૂસ કરી છે. પોતાના સાર્વભૌમત્વ અને સરહદોની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતના કમિટમેન્ટને જોયા છે.' 

જુઓ VIDEO

તેમણે કહ્યું કે 'લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારા લોકોને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે અને આંખમાં આંખ પરોવીને જોવાનું અને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે.' તેમણે કહ્યું કે લદાખમાં આપણા જે વીર જવાનો શહીદ થયા છે તેમના શૌર્યને આખો દેશ નમન કરી રહ્યો છે. શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સમગ્ર દેશ તેમનો કૃતજ્ઞ છે. તેમની સામે નતમસ્ક છે. આ સાથીઓના પરિવારોની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દર્દ મહેસૂસ કરી રહ્યો છે. 

પીએમએ કહ્યું કે બિહારમાં રહેનારા શહીદ કુંદનકુમારના પિતાજીના શબ્દો તો મારા કાનમાં ગૂંજી રહ્યાં છે. તેઓ કહેતા હતાં કે મારા પૌત્રને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલીશ. આ જ જુસ્સો દરેક શહીદના પરિવારનો છે. ખરેખર, આ પરિજનોના ત્યાગ પૂજનીય છે. તેમણે કહ્યું કે ભારતમાતાની રક્ષાના જે સંકલ્પને લઈને આપણા જવાનોએ બલિદાન આપ્યા છે તે સંકગલ્પને આપણે પણ આપણા જીવનનો ધ્યેય બનાવવાનો છે. દરેક દેશવાસીએ બનાવવાનો છે. આપણઆ દરેક પ્રયત્ન આ દિશામાં હોવા જોઈએ. જેનાથી સરહદોની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને. દેશ આત્મનિર્ભર બને. આ જ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પણ રહેશે. 

પીએમ મોદીએ કહ્યું કે 'કોઈ પણ મિશન જન ભાગીદારી વગર પૂરું થઈ શકે નહીં. આથી આત્મનિર્ભર ભારતની દિશામાં એક નાગરિક તરીકે આપણા બધાનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ બહુ જરૂરી છે. તમે લોકલ ખરીદશો, લોકલ માટે વોકલ બનશો. તે પણ એક પ્રકારે દેશની સેવા જ છે.' 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે 'ભારતનો સંકલ્પ છે, ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા. ભારતનો લક્ષ્ય છે આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે ભરોસો અને મિત્રતા. ભારતનો ભાવ છે બંધુતા. આપણએ આ જ આદર્શો સાથે આગળ વધતા રહીશું.' 

પીએમ મોદીએ કહ્યું કે 'લોકડાઉનથી વધુ સતર્કતા આપણે અનલોક દરમિયાન જાળવવાની છે. આ વાતને હંમેશા યાદ રાખો કે જો તમે માસ્ક નહીં પહેરો, દો ગજ  દૂરીનું અંતર નહીં જાળવો કે પછી બીજી જરૂરી સાવધાનીઓ નહીં રાખો તો તમે તમારી સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકશો. કોરોના સંકટ કાળમાં દેશ લોકડાઉનમાંથી બહાર આવ્યો છે. હવે આપણે અનલોકના ફેઝમાં છીએ. અનલોકના સમયમાં બે વાત પર બહુ ફોકસ કરવાનું છે. કોરોનાને હરાવવાનું અને અર્થવ્યવસ્થાને મજબુત બનાવવી. તેને તાકાત આપવી'. 

તેમણે કહ્યું કે 'અનલોકના દોરમાં અનેક એવી ચીજો પણ અનલોક થઈ રહી છે જેમાં ભારત દાયકાઓથી બંધાયેલો હતો. વર્ષોથી આપણા માઈનિંગ સેક્ટર લોકડાઉનમાં હતો. કોમર્શિયલ ઓક્શનને મંજૂરી આપવાના એક નિર્ણયે તેની સ્થિતિને સંપૂર્ણ રીતે બદલી નાખી છે.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news