લાખ પ્રયાસો છતા પણ તમારું બ્રેકઅપ કે ડિવોર્સ નથી થતા, તો આ મંદિરમાં માથુ ટેકવો

Lucknow News : ચૈત્ર નવરાત્રિમાં આ મંદિરમાં ભારે ભીડ ઉમટે છે.... જો કોઈ અહીં દર્શન કરવા ઈચ્છે તો સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 કલાકે અને સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી ભીડ રહે છે.... આ પ્રાચીન મંદિર સાથે જોડાયેલી રસપ્રદ માહિતી જાણવા જેવી છે...

લાખ પ્રયાસો છતા પણ તમારું બ્રેકઅપ કે ડિવોર્સ નથી થતા, તો આ મંદિરમાં માથુ ટેકવો

famous katra devi mandir lucknow : જો તમે પણ બ્રેકઅપ કરવા માંગો છો અથવા તો ડિવોર્સ લેવા માગો છો તો આ માહિતી તમારા માટે જ છે. જાણીને નવાઇ લાગશે પરંતુ આ વાત સાચી છે. અહીં લોકો બ્રેકઅપ અથવા તો ડિવોર્સ માટે માનતા રાખવા આવે છે. આ મંદિર લખનઉના નાના કાશીમાં આવેલું છે અને બંદી માતાના મંદિરના નામથી ઓળખાય છે. 

માન્યતા અનુસાર જ્યારે લોકોની માનતા પૂરી થઈ જાય છે ત્યારે લોકો માતાના પગમાં પાયલ અર્પિત કરે છે અને સાથે જ મિઠાઈનો ભોગ લાગાવવામાં આવે છે. બ્રાહ્મણોમાં એક જાતી છે બાજપેઈ.  તેમના કુળદેવી પણ બંદી માતા છે. બાજપેઈ લોકોના ઘરોના કોઈ પણ શુભ કામ અહીં દર્શન કર્યા વગર પુરૂ નથી કરી શકાતું. 

લોકવાયકા મુજબ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. માતાની પ્રતિમા અહીં કઈ રીતે આવી તે કોઈને ખબર નથી પરંતુ આ મંદિર તેમના માટે પૂર્વજો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમનું નામ બંદી દન બાડપેજ હતું. તે માતાના મોટા ભક્ત હતા તેમણે અહીં આ મુર્તિની સ્થાપના કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news