Maldhari News

આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે
આદિવાસીઓ અને માલધારીઓને લઇ મોટા સમાચાર આવ્યા છે. સાચા આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણીને લઈ જ્યુડિશિયલ કમિશનની રચના કરાશે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિટીની રચના કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિશન રચાશે. બે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાશે. ગીર બરડા અને આલજમાં વસતા માલધારીઓ દ્વારા આ અંગે આંદોલન કરાયું હતું. આદિવાસીઓએ ખોટા પુરાવાના આધારે સરકારી નોકરી મેળવનારની સામે પગલાં ભરવા અને ચકાસણીની માંગ કરી હતી. આદિવાસીઓ અને માલધારી આગેવાનોએ જ્યુડિશિયલ કમિશનની ઈન્ક્વાયરી સોંપવાને લઈ સંમતિ આપી છે.
Jul 8,2020, 14:03 PM IST
માલધારીઓની માગ સામે આદિવાસીઓ મેદાને આવ્યા, ગાંધીનગર તરફ વિરોધ કૂચ યોજશે
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી માલધારીઓ આદિવાસીઓના દરજ્જાની માગ કરી રહ્યાં છે. ત્યારે હવે માલધારીઓની માગ સામે આદિવાસીઓ મેદાને આવ્યા છે. માલધારીઓની આદિવાસીનો દરજ્જો આપવાનો વિરોધ કરવા માટે ખેડબ્રહ્મા, વિજયનગર, અને પોશીના વિસ્તારના આદિવાસીઓ આજે ગાંધીનગર કૂચ યોજશે. આદિવાસીઓએ માલધારીઓને જો દરજ્જો અપાય તો તેમને અન્યાય થાય તેને લઇને વિરોધ કૂચ યોજશે. ગાંધીનગર સુધી યોજાનાર આ કૂચમાં વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલની આગેવાનીમાં યોજાશે. જિલ્લામાં કૂચ રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયોદંડક અશ્વિન કોટવાલ સહિત 15 વ્યક્તિઓને ડિટેન કરાયા.
Feb 2,2020, 11:55 AM IST

Trending news