દુનિયામાં ખળભળાટ, Corona બાદ વધુ એક ઘાતક વાયરસનો ભય, ચીનને છે આ દેશનો સપોર્ટ!

કોરોના વાયરસે આખી દુનિયાને મોટો ઝટકો આપ્યો છે. લાખો લોકોના મોત થયા છે. ઉદ્યોગ ધંધા ઠપ્પ થઈ ગયા છે અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. હજુ પણ હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ બાજુ  ચીન અને પાકિસ્તાન એક નવા જ પ્રકારનો વાયરસ બનાવવાની કોશિશમાં છે. 

દુનિયામાં ખળભળાટ, Corona બાદ વધુ એક ઘાતક વાયરસનો ભય, ચીનને છે આ દેશનો સપોર્ટ!

નવી દિલ્હી: કોરોના વાયરસે આખી દુનિયાને મોટો ઝટકો આપ્યો છે. લાખો લોકોના મોત થયા છે. ઉદ્યોગ ધંધા ઠપ્પ થઈ ગયા છે અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. હજુ પણ હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ બાજુ  ચીન અને પાકિસ્તાન એક નવા જ પ્રકારનો વાયરસ બનાવવાની કોશિશમાં છે. 

પાકિસ્તાનની ધરતી પર રચાઈ રહ્યું છે 'ષડયંત્ર'
નવા વાયરસ પ્રોજેક્ટમાં ચીનની એ જ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (wuhan institute of virology) નું નામ આવી રહ્યું છે. જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હતો. પરંતુ આ વખતે આ બદનામ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ પાકિસ્તાનની જમીનને ષડયંત્રનો અડ્ડો બનાવ્યો છે. 

આ ષડયંત્રનો ખુલાસો ઓસ્ટ્રેલિયાની એક વેબસાઈટ The Klaxon એ કર્યો છે. જેના ઈન્વેસ્ટિગેટિવ પત્રકરા અને એડિટર એન્થોની ક્લોનના રિપોર્ટ મુજબ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાનની સેનાની Defence Science and Technology Organisation (DESTO) વચ્ચે ગુપ્ત રીતે ત્રણ વર્ષનો કરાર થયો છે. 

આ કરાર જૂન કે જુલાઈ 2020માં થયો. પાકિસ્તાનની સરકારે ત્યાંની સેના અને વુહાન લેબ વચ્ચે કરારની ખરાઈ કરી છે અને સ્વીકાર્યું છે કે આ કાર્ય પાકિસ્તાનની ધરતી પર થઈ રહ્યું છે. 

એવા અહેવાલ છે કે કોરોના ફેલાવવા માટે બદલનામ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીન વૈજ્ઞાનિકોની એક ટીમ પાકિસ્તાની વૈજ્ઞાનિકોને જોખમી વિષાણુઓના ઉપયોગ અને નિયંત્રણની ટ્રેનિંગ આપી રહ્યાં છે. ભારત માટે આ ખતરનાક સ્થિતિ છે. કારણ કે પાકિસ્તાન માટે ભારત ઘોષિત રીતે શત્રુ નંબર એક છે. તેના કોઈ પણ હથિયાર કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારત વિરુદ્ધ જ થાય છે. 

માસૂમ પાકિસ્તની નાગરિકોનો ઉપયોગ
ખબરો મુજબ  વાયરસ ટેક્નોલોજી પર પાકિસ્તાન અને ચીનનું આ વિધ્વંસક રિસર્ચ વર્ષ 2015થી ચાલી રહ્યું છે. જે હેઠળ વેસ્ટ નીલ વાયરસ, મર્સ-કોરોનાવાયરસ, ક્રીમિયા-કોંગો હેમોરેજિક ફીવર વાયરસ, થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ વાયરસ અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગોના વાયરસ પર રિસર્ચ થઈ રહ્યું છે. માનવ જીવન માટે ખુબ જ ઘાતક આ પ્રયોગ માટે પાકિસ્તાનના માસૂમ નાગરિકો પર પ્રયોગ થઈ રહ્યો છે. જેમને તે અંગે કોઈ માહિતી જ નથી. વાયરસ પર શોધ માટે હજારો પાકિસ્તાની પુરુષો, મહિલાઓ અને બાળકોના લોહીના નમૂના ભેગા કરવામાં આવ્યાં છે. જેમાં મુખ્ય રીતે પાકિસ્તાનના જ તે અભણ ગ્રામીણો સામેલ છે જે શહેરોથી દૂર આંતરિયાળ વિસ્તારોમાં પશુઓ સાથે રહે છે. 

ચીન પાકિસ્તાનના આ ગંભીર ષડયંત્રનો ખુલાસો તે સ્ટડી પેપરથી થયો જેમાં ચીની અને પાકિસ્તાની વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા પાંચ અભ્યાસોના પરિણામો છપાયા હતાં. આ પેપરમાં સ્ટડીનો હેતુ  'zoonotic pathogens' ની ભાળ મેળવવાનો જણાવવામાં આવ્યો છે. આ રિસર્ચ ડિસેમ્બર 2017થી માર્ચ 2020માં થયો. 

પાકિસ્તાનીઓના જીવ જોખમમાં
પાકિસ્તાનમાં ચીનના ભારે હિત છૂપાયેલા છે. કારણ કે પાકિસ્તાનના રસ્તે જ ચીનનો મહત્વકાંક્ષી સીપેક રોડ પ્રોજેક્ટ પસાર થાય છે. વાયરસ પ્રોજેક્ટ માટે પણ પૈસા આ રોડ ફંડથી જ ભેગા કરાયા છે. તે માટે 'International Cooperation on Key Technologies of Biosafety along the China-Pakistan Economic Corridor' હેઠળ પૈસા ભેગા કરાયા છે. પરંતુ આ પ્રયોગના કારણે પાકિસ્તાની નાગરિકોના જીવ જોખમમાં છે. 

કારણ કે દુનિયા જાણે છે કે વુહાનની લેબોરેટરીમાં બનેલો કોરોના વાયરસ માત્ર એક ભૂલના કારણે ત્યાંના સ્થાનિક મીટ માર્કેટ સુધી પહોંચી ગયો.  ત્યારબાદ તેણે શહેરની અડધાની વધુ વસ્તીને ખતમ કરી નાખી. આવામાં પાકિસ્તાન જેવા અવિક્સિત દેશમાં જ્યાં જૈવિક રીતે સંવેદનશીલ સામગ્રીને સારી રીતે મેનેજ કરવા માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ત્યાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટી તો પાકિસ્તાની નાગરિકો પોતાને કેવી રીતે બચાવી શકશે?

કોરોના વાયરસ માટે ચીનીઓએ ભારતમાં કર્યું હતું સેમ્પલિંગ
દુનિયામાં જ્યારે કોરોના વાયરસ ફેલાયો હતો ત્યારે એ સામે આવ્યું હતું કે કોરોના વાયરસ તૈયાર કરવા માટે ચીનના વાયરોલોજી વૈજ્ઞાનિકોએ ભારતીય રાજ્ય નાગાલેન્ડની જમીનનો ઉપયોગ કર્યો હતો. જેના માટે ભારત અને અમેરિકા બંનેના વૈજ્ઞાનિકોને અંધારામાં રાખવામાં આવ્યાં હતાં. 

નાગાલેન્ડમાં ગુપ્ત રિસર્ચ
કોરોના વાયરસ માટે ચીનના વૈજ્ઞાનિકોએ ઉત્તર પૂર્વ રાજ્ય નાગાલેન્ડમાં કિફિરે જિલ્લામાં મિમી ગામમાં ગુપ્ત રિસર્ચ કર્યું હતું. 

અહીંના 18થી 50 વર્ષના 85 લોકો પર પરિક્ષણ કરાયું હતું. નાગાલેન્ડના આ ગામમાં ખુબ જ ગુપ્ત રીતે આ અભ્યાસ હાથ ધરાયો હતો. જેનો હેતુ કહેવાયો હતો કે શું માણસોની રોગપ્રતિકારક શક્તિ પણ વાયરસથી લડવામાં ચામાચિડિયા જેટલી વિક્સિત થઈ શકે છે.

નાગાલેન્ડનું મિમી ગામ
હકીકતમાં નાગાલેન્ડનું મિમી ગામ ચીનની સરહદની ખુબ નજીક છે. આ વિસ્તારના જંગલોમાં એવા આદિવાસી રહે છે કે જે ચામાચિડિયાનો શિકાર કરે છે અને તેનો ભોજન તરીકે ઉપયોગ પણ કરે છે. એવું કહેવાય છે કે આ આદિવાસીઓની ઈમ્યુન સિસ્ટમ ચામાચિડિયાની જેમ જ વાયરસ સામે લડવામાં ખુબ મજબુત છે. 

આથી ચીને મિમી ગામમાં રિચર્ચ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે અમેરિકા અને ભારતના કેટલાક વૈજ્ઞાનિકોને એમ કહીને સાથે લીધા કે આ અભ્યાસથી ખતરનાક વાયરસનો મુકાબલો કરવાની ટેક્નોલોજી વિક્સિત થઈ શકે છે. 

નાગાલેન્ડના મિમી ગામ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં ચામાચિડિયા આવે છે અને અત્યાર સુધીના વૈજ્ઞાનિક અભ્યાસમાં સાબિત થયું છે કે ચામાચિડિયા પોતે જરાય પ્રભાવિત થયા વગર ઈબોલા, સાર્સ કે કોરોના વાયરસને પોતાના શરીરમાં લાંબા સમય સુધી રાખી શકે છે. આથી દાવો કરાય છે કે આ અભ્યાસનો હેતુ માણસોના ઈમ્યુનને ચામાચિડિયા જેટલી વિક્સિત કરવાનો હતો. 

અમેરિકા પાસેથી કરાયું ફંડિંગ
સૂત્રોના હવાલે જાણવા મળ્યું ચે કે ચીને આ કામ માટે ખુબ જ ચતુરાઈપૂર્વક પ્લાન તૈયાર કર્યો. કોઈને શક ન જાય તે માટે તેણે રિસર્ચમાં અમેરિકા અને સિંગાપુરના વૈજ્ઞાનિકોને પણ સામેલ કર્યાં. એટલું જ નહીં આ કામમાં અમેરિકી રક્ષા મંત્રાલયની ડિફેન્સ થ્રેટ રિડક્શન એજન્સી એટલે કે DTRAના ફંડનો પણ ઉપયોગ થયો. 

દાવો છે કે આ ગુપ્ત રિસર્ચ અભિયાનમાં અમેરિકાના યુનિફોર્મ્ડ સર્વિસિઝ યુનિવર્સિટી ઓફ ધ હેલ્થ સાયન્સ અને સિંગાપુરના ડ્યૂક નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સામેલ હતાં. કેટલીક ભારતીય સંસ્થાઓના નામ પણ આ કડીમાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તેમના વિશે વિસ્તારથી રિપોર્ટ આવવાનો બાકી છે. 
 
અનેક જગ્યાએ છપાયા પરિણામ
ચીનના આ રિસર્ચના પરિણામો પર પબ્લિક લાઈબ્રેરી ઓફ સાયન્સ ના નિગલેક્ટેડ ટ્રોપિકલ ડિસિઝ જર્નલમાં કાયદેસર રીતે રિપોર્ટ પણ છપાઈ રહ્યો હતો. આખી જર્નલ તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો. આ જર્નલ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઈન્ડેશનના પૈસાથી ચાલે છે. 

આ રિપોર્ટના આધારે બિલ ગેટ્સે કહ્યું હતું કે આવા વાયરસથી મહામારી ફેલાય તો દુનિયામાં લાખો લોકોના જીવ જઈ શકે છે. સ્પષ્ટ છે કે ગેટ્સનો ઈશારો ક્યાંકને ક્યાંક કોરોના વાયરસ તરફ હતો જે હવે આખી દુનિયા માટે જોખમ બની ચૂકેલો છે. 

આ રીતે મામલાનો થયો પર્દાફાશ
બિલ ગેટ્સની રિસર્ચ મેગેઝીનમાં આ રિસર્ચના તારણો છપાયા બાદ ભારત સરકાર હરકતમાં આવી હતી. આ અભ્યાસ માટે ભારત સરકાર પાસેથી કોઈ ઔપચારિક મંજૂરી લેવાઈ નહતી. આ રિસર્ચ વર્ષ 2017માં થયો હતો. જેનો ખુલાસો થતા ભારત સરકારે તેને ગંભીરતાથી લીધો અને તપાસ કરાવી. દેશના પ્રતિષ્ઠિત અખબાર ધ હિન્દુમાં રિપોર્ટ પણ છપાયો હતો. અહીં ક્લિક કરીને તમે આ રિપોર્ટ અંગે વાંચી શકો છો. 

તપાસ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પાંચ સભ્યોની ટીમે કરી હતી. જેમાં જાણવા મળ્યું કે નાગાલેન્ડના મિમી ગામમાં સરકારની મંજૂરી વિના ગુપ્ત રિસર્ચ પરીક્ષણનું કામ ચાલતું હતું. 

ચોરીથી ચીને તૈયાર કર્યો વાયરસ
એક વરિષ્ઠ પત્રકારે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકાના હાવર્ડ યુનિવર્સિટીથી ચોરાયેલા સેમ્પલ્સ અને નાગાલેન્ડમાં કરાયેલા શોધના આધારે ચીનની વુહાન યુનિવર્સિટીમાં કોરોના વાયરસ ડેવલપ કરવામાં આવ્યો. જેનો વીડિયો તમે અહીં જોઈ શકો છો.  આ સાથે એવો પણ દાવો થઈ રહ્યો છે કે તેના સેમ્પલની એક બોટલ તૂટી ગઈ. ત્યારબાદ આ વાયરસ માણસની કેદમાંથી આઝાદ થઈને આખી દુનિયામાં ફેલાયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news