Anupamaa માં આવશે ટ્વિસ્ટ: બદલાઈ જશે આખી સ્ટોરી, બાળકને જન્મ આપતા કિંજલનું થશે મોત!

Anupamaa Upcoming Twist: હાલમાં શોના સમર એટલે કે  અભિનેતા પારસ કલનાવતે શો છોડ્યો હતો, હવે કિંજલ એટલે કે નિધિ શાહ શોને અલવિદા કહેવાની છે.

Anupamaa માં આવશે ટ્વિસ્ટ: બદલાઈ જશે આખી સ્ટોરી, બાળકને જન્મ આપતા કિંજલનું થશે મોત!

Anupamaa Latest Twist: ટીવીની દુનિયામાં છેલ્લા બે વર્ષથી નંબર 1ના સિંહાસન પર બિરાજમાન સિરિયલ 'અનુપમા' તેની સ્ટોરી માટે ફેમસ છે. મેકર્સ સ્ટોરીમાં એવા એવા ટ્વિસ્ટ લાવે છે કે દર્શકો શો સાથે જોડાયેલા રહે છે. પરંતુ હવે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત આ શો સતત મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં શોના મજબૂત અભિનેતા પારસ કલનાવતે શો છોડી દીધો છે, જ્યારે હવે અહેવાલ છે કે કિંજલ એટલે કે અભિનેત્રી નિધિ શાહે પણ શો છોડવાની તૈયારી કરી લીધી છે.

ગણપતિ ઉત્સવની થશે ધૂમ
તાજેતરમાં 'અનુપમા'ની કહાની ફરી એક સકારાત્મક વળાંક પર આવી ગઈ છે. અનુજની તબિયત ધીરેધીરે સારી થઈ રહી છે, જ્યારે બરખા અને અંકુશ પણ પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યા છે. બીજી તરફ હવે શોમાં ગણપતિ ઉત્સવની ધૂમ પણ જોવા મળશે. પરંતુ આ પૂજાની વચ્ચે કિંજલને પ્રસૂતિની પીડા થવા લાગશે.

બાળકને જન્મ આપતી વખતે કિંજલનું મૃત્યુ થશે
તમે વિચારતા હશો કે હવે શાહ હાઉસમાં કિલકારિયો ગૂંજશે, ખુશીઓ આવશે, પરંતુ આ બધુ ખોટું છે. કારણ કે શોમાં એક દુઃખદ ટ્વિસ્ટ આવવાનો છે. કિંજલ તેના બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, નિધિ શાહે શો છોડવાનો નિર્ણય લીધો છે. તેથી હવે નિર્માતાઓએ એક એવો ટ્વિસ્ટ પણ બનાવ્યો છે જે બીજી કિંજલને શોધવાને બદલે આ રોલનો અંત લાવવા માટે ટ્વિસ્ટ ક્રિએટ કર્યો છે.

આવો હશે સમગ્ર સીન
સમાચાર અનુસાર, કિંજલ ગણેશ ઉત્સવ માટે સમગ્ર શાહ પરિવાર કાપડિયા હાઉસ આવશે. અનુપમા અને અનુજ બધુ સ્વસ્થ છે ત્યારે આ પૂજા કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે બંને પરિવારો આરતી માટે ઉભા થાય છે, ત્યારે જ કિંજલની વોટર બેંગ ફૂટી જશે. બાકી, ખરેખર આવું બને છે કે કેમ તે તો સમય જ કહેશે અથવા તો પછી કિંજલનો જીવ બચી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news