'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી નાંખી!

અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એકવાર પતિ પત્ની વચ્ચેની તકરારે પત્નીનો ભોગ લઈ લીધો છે. મોટી વાત તો એ છે કે પાછલા બે મહિનામાં ત્રીજી આવી ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય.

'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી નાંખી!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નારોલમાં ઘર ઘર કંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. નારોલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. 

અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એકવાર પતિ પત્ની વચ્ચેની તકરારે પત્નીનો ભોગ લઈ લીધો છે. મોટી વાત તો એ છે કે પાછલા બે મહિનામાં ત્રીજી આવી ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય. ત્રણેય ઘટનામાં સમાનતા એ છે કે ત્રણેય પતિએ લવ મેરેજ કર્યા હતા અને હત્યારા પતિઓ દ્વારા કર્યા બાદ સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇને ધરપકડ ઓરી છે.

ત્યારે વાત કરી એ તાજેતર માં થયેલ હત્યાની...4 ઓક્ટોબરના રોજ અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્ની સ્વાતિ શાહ ઘરમાં સુઈ રહી હતી, ત્યારે પતિ નિલેશ શાહે ચપ્પુના 20 જેટલા ઘા મારીને હત્યા કરી નાખી. 14 વર્ષના લગ્ન ગાળા દરમિયાન અવારનવાર બંને વચ્ચે નાની મોટી બાબતે તકરાર પણ થતી, પરંતુ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે પતિએ તેની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી. 

પોતાના બાળકોની હાજરીમાં જ ચપ્પુના 20 જેટલા ઘા મારીને આરોપી પતિએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ તેના સાળાને ફોન કરીને તેની બહેનની હત્યા કરી નાંખી હોવાની જાણકારી આપી. જોકે સાળાએ વાતને ગંભીરતાથી ન લીધી. જે બાદ હત્યારા પતિએ પોલીસને પણ ફોન કરીને હત્યા બાબતે જાણકારી આપી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો દાખલ કરી આરોપી નિલેશ શાહની ધરપકડ કરી છે. પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news