Gujarat Chutani 2022 : બનાસકાંઠામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મતદાન પહેલા ગુમ થયા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી

Gujarat Second phase Assembly Election : બનાસકાંઠામાં દાંતાના ગુમ થયેલા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી મળી આવ્યા... ભાજપ દ્વારા હુમલો થયા બાદ જંગલમાં છુપાયા હોવાનો દાવો... તો બીજી તરફ દાંતા ભાજપના ઉમેદવાર લાતુ પારઘીએ પણ કોંગ્રેસ દ્વારા હુમોલો થયાનો આરોપ લગાવ્યો... 

Gujarat Chutani 2022  : બનાસકાંઠામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મતદાન પહેલા ગુમ થયા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી

Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી હાઈવોલ્ટેજ ડ્રામા જેવી બની છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા બનાસકાંઠામાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. એક તરફ થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો હોવાની ઘટના બની છે, તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીનો ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. જેના બાદ મોડી રાત્રે જંગલમાંથી કાંતિ ખરાડી મળી આવ્યા હતા. હુમલો થયો હોવાથી જંગલમાં સંતાયા હોવાનો કાંતિ ખરાડીએ જણાવ્યુ હતું. જોકે, કાંતિ ખરાડી પર ભાજપ દ્વારા હુમલો કરાયો હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. 

બનાસકાંઠાની દાંતા બેઠક પરથી કોંગ્રેસથી ચૂંટણી લડીર હેલા ધારાસભ્ય કાંતિ ખરાડીના ગુમ થવાથી રાજકીય માહોલ ગરમાયો હતો. કાંતિ ખરાડી ગુમ થયા છે તેવી માહિતી ચારેતરફ પ્રસરાતા ઉહાપોહ મચ્યો હતો. રેન્જ આઈજી જે .આર મોરથલીયા પણ આ ઘટના બાદ દાંતા પહોંચ્યા હતા. ત્યારે કલાકોની શોધખોળ બાદ કાંતિ ખરાડી સહી સલામત મળી આવ્યા હતા. ધારાસભ્ય કાંતિ ખરાડી સહી સલામત મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. 

કાંતિ ખરાડી મળી આવતા તેમના દાંતા લાવવામાં આવ્યા હતા, જેથી દાંતા ખાતે તેમના સમર્થકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસ દ્વારા જાણવા મળ્યું કે, દાતા તાલુકાના સાંઢુસી ગામ પાસેથી પોલીસે કાંતિ ખરાડીને બહાર કાઢ્યા હતા. કાંતિ ખરાડી પર હુમલો થતાં તેઓ નાસી ગયા હતા અને જંગલમાં સંતાઈ ગયા હતા. હુમલાની ઘટનાના 4  કલાક બાદ પોલીસને કાંતિ ખરાડીનો સંપર્ક થયો હતો. દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી અત્યારે હેમખમ પરિસ્થિતિમાં મળી આવતા જિલ્લા પોલીસવડાએ માહિતી આપી હતી. 

ગુલાબસિંહ પર હુમલો
થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાના આક્ષેપ તેઓએ કર્યો છે. ત્યારે મોડી રાત્રે થરાદમાં થયેલા આ હુમલામાં ગુલાબસિંહ ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યાના આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે થરાદમાં મામલો તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ ફેસબુક પર લાઈવ થયા હતા અને હુમલાની માહિતી આપી હતી. જેના બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news