પતિ પત્ની ઓર વો: દાતરડાના 15 ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા

મહેસાણાના ઉમતા ગામે કસ્બા વિસ્તારમાં રહેતા આ મુસ્લિમ પઠાણ પરિવારની દીકરી જેનપબાનું અહેમદખાન પઠાણના લગ્ન ગામમાં જ રહેતા ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા.

પતિ પત્ની ઓર વો: દાતરડાના 15 ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા

તેજસ દવે, મેહસાણા: મહેસાણાના ઉમતા ગામે પતિ પત્ની ઓર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ અને પ્રેમિકાએ ભેગા મળીને પત્નીનું ઢીમ ઢાળી દેતા આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસે તપાસ આરંભી છે. જ્યારે પતિ અને પ્રેમિકાને વિસનગર તાલુકા પોલીસે પકડીને હાલમાં જેલ હાવાલે કર્યા છે. આ બનાવ થકી પરિવારમાં દુઃખનું મોજું ફરી વળીયું છે.

મહેસાણાના ઉમતા ગામે કસ્બા વિસ્તારમાં રહેતા આ મુસ્લિમ પઠાણ પરિવારની દીકરી જેનપબાનું અહેમદખાન પઠાણના લગ્ન ગામમાં જ રહેતા ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. તેમના લગ્ન બાદ આરોપી ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન ગામની ચૌહાણ સમીમબાનું નથેખાન સાથે પહેલાથી જ પ્રેમમાં હોવાની માહિતી પત્ની જેનપબાનુંને મળતા સંસારમાં તિરાડ સર્જાઈ હતી. પતિના પ્રેમ સંબંધની જાણ થતા જેનપબાનું પોતાના પિયર ચાલી ગઇ હતી અને તે દોઢ વર્ષથી પિયરમાં જ રહેતી હતી.

પરંતુ ગત રોજ બુધવારે તેના પતિ આરોપી ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાનનો ફોન આવ્યો હતો અને તેની પત્નીને તેને મળવા બોલાવી હતી. ત્યાં આરોપી પતિએ તેની પત્નીને દાતરડાના ઘા ઝીંકીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશનો નિકાલ કરવા પાસે રહેલા કુવામાં ફેંકી દીધી હતી. આરોપીના ફોન આવ્યા બાદ જેનપબાનું પઠાણ સમી સાંજ સુધી ઘરે આવી ન હતી અને ગામ આખામાં તપાસ કર્યા બાદ એક ખેતરમાં લોહીના ડાઘ સહિત કુવામાં તરતી ઓઢણી જોઈને પરિવારે લાશને બહાર કાઢી હતી.

જેમાં મૃતક જેનપબાનું પઠાણના શરીર પર ઉપર છાપરી મારેલા દાતરડાના નિશાન મળી આવ્યા હતા અને તે 15થી વધુ ઘાના નિશાન જોઈને પઠાણ પરિવાર ચોકી ગયો હતો. આ અંગે મહેસાણાના વિસનગર તાલુકા પોલીસને ફરિયાદ મૃતકના ભાઈ નિઝામખાન અહેમદખાન પઠાણે કરી હતી. જેમાં ગામ ઉમતામાં રહેતા આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન અને તેની પ્રેમિકા ચૌહાણ સમીમ બાનું નથેખાન સામે ફરિયાદ કરાઇ હતી. જેમાં પોલીસે બનેની ધરપકડ કરીને વિસનગર જેલ હવાલે કર્યા છે. મૃતક જેનપબાનું પઠાણ ઉંમર અસરે 40 વર્ષના શરીર પર કેટલા ઘા ઝીંક્યા છે અને તે હથિયાર ક્યું હતું સહિત કેવી રીતે હત્યા કરાઈ તે દિશામાં વિસનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ પત્ની ઓર વોના ચક્કરમાં આજે ફરીવાર એક હત્યા થઇ છે. આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન ગામમાં રહેતી ચૌહાણ સમીમબાનું નથેખાન સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને તેની પત્ની આખોમાં કણાની જેમ જેનપબાનું પઠાણ ખુંચતી હતી. હાલમાં તો જેનપબાનું પઠાણ કણાને સાફ તો કરી નાખ્યો છે, પરંતુ તેમના આવનારા સમયમાં સુખદ જીવન હવે જેલના પાછળ બને આરોપીને વ્યતીત કરવું પડશે. તે વાત પણ અહીં સાચી ઠરવા ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news