વડોદરામાં PSI એસ.કે.જાડેજાએ સર્વીસ રીવોલ્વરથી કર્યો આપઘાત, કારણ અકબંધ

અલ્કાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.કે.જાડેજાએ પોલીસ મથકમાં જ આપઘાત કર્યો છે.

વડોદરામાં PSI એસ.કે.જાડેજાએ સર્વીસ રીવોલ્વરથી કર્યો આપઘાત, કારણ અકબંધ

વડોદરા: શહેરના અલ્કાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.કે.જાડેજાએ પોલીસ મથકમાં જ આપઘાત કર્યો છે. આ અધિકારીએ પોતાની જ સર્વીસ રીવોલ્વરથી કપાળે ગોળી મારી આપઘાત કરાતા ચકચાર મચી છે. ત્યારે ક્યાં કારણોથી આ અધિકારીએ આપઘાત કર્યો તે અંગેની કોઇ પણ માહિતી મળી રહી નથી. 

ઉચ્ચ અધિકારીઓએ શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતા મોટી તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ ચોકીમાંથી પી.એસ.આઇ એસ.કે.જાડેજા પાસેથી એક ડાયરી મળી છે. જેમાં તેમણે લખ્યું છે, કે આ નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરો. ત્યારે આ આપઘાતથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પી.એસ.આઇ જાડેજાએ કેમ આપઘાત કર્યો હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news