ઉપેંદ્ર કુશવાહાએ કહ્યું,NDAમાં હવે બેઇજ્જતી સહન નહી, PMએ કરવો પડશે ન્યાય

રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેમની પાર્ટી 2014થી વધારે મજબુત સ્થિતીમાં છે, માટે બેશક અમને વધારે સીટ મળવી જોઇએ

ઉપેંદ્ર કુશવાહાએ કહ્યું,NDAમાં હવે બેઇજ્જતી સહન નહી, PMએ કરવો પડશે ન્યાય

મુંગેર : સીટ શેરિંગ મુદ્દે રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ બિહારના ભાજપ અને જદયુનાં નેતાઓ પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો. મુંગેરે પોલો મેદાનમાં આયોજીત રાલોસપાના મુગેર- ભાગલપુર પ્રમંડળ સ્તરીય ક્ષેત્રી હલ્લા બોલ દરવાજા ખોલ મહાસમ્મેલનમાં ઉદ્ધાટક તરીકે જોડાયા હતા. માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી સહ રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે, તેમની પાર્ટી 2014થી વધારે મજબુત સ્થિતીમાં છે, એટલા માટે બેશક અમે વધારે સીટો મળેલી હોવી જોઇએ. 2014માં આપણને મળેલી ત્રણેય સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. 

ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપનાં નેતા સહઉપમુખ્યમંત્રી સુશીલ મોદી પર પરોક્ષ રીતે હુમલાખોર હોવા છતા પણ કહ્યું કે, 2014ની લોકસભા ચુંટણી પહેલા ભાજપનાં નેતાઓએ બીજી પાર્ટીનાં એક નેતાને તો વડાપ્રધાન મેટેરિયલ પણ કહી દીધા હતા. તેઓ નહોતા ઇચ્છતા હતા કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદનાં પ્રથમ ઉમેદવાર બન્યા. તે સમયે પણ જ્યારે ભાજપે પોતાનાં પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારનું નામ જાહેર નહોતું કર્યું. રાલોસપા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનાં ઉમેદવાર જાહેર કરવાની પક્ષધર હતા. 

કુશવાહાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે પોતાની તમામ શક્તિ લગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, ભાજપ અને જદયુનાં કેટલાક નેતા ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બન્યા. બીજી તરફ નેતા ઇચ્છે છે કે રાલોસપા એનડીએથી અલગ થઇ જાય. તેમણે કહ્યું કે, વબએનડીએમાં છે અને એનડીએમાં યથાવત્ત રહેવા માંગે છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી પ્રત્યે તેમનાં મનમાં વિશ્વાસ છે. તેમણે એટલે સુધી કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભોજમાં આમંત્રીત કરીને એત નેતાએ વડાપ્રધાન મોદીને બેઇજ્જત કર્યા હતા પરંતુ ભાજપનાં કેટલાક નેતાઓ થાળી છીનવવા લોકો સાથે ફરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news