પંકજા મુંડેનું રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન, 'બોમ્બ બાંધીને બીજા દેશમાં મોકલી આપો'

પંકજા મુંડેએ કહ્યું કે, પુલવામામાં આપણા સૈનિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી, પરંતુ કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઈક પર જ સવાલ ઊભા કરી રહ્યા છે. વિરોધ પક્ષ પુછી રહ્યો છે કે, સર્જિકલ સ્ટ્રાઈક શા માટે કરી અને તેના પુરાવા ક્યાં
છે? 

પંકજા મુંડેનું રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન, 'બોમ્બ બાંધીને બીજા દેશમાં મોકલી આપો'

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં રાજકીય માહોલ ધીમે-ધીમે ગરમાતો જઈ રહ્યો છે. નેતાઓ વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેએ સોમવારે એક રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. પંકજા મુંડે રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીના શરીર પર બોમ્બ બાંધી દેવો જોઈએ અને તેમને કોઈ અન્ય દેશમાં મોકલી દેવા જોઈએ. તેઓ ત્યારે સમજશે. 

પંકજા મુંડેએ કહ્યું કે, પુલવામામાં આપણા સૈનિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી, પરંતુ કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઈક પર જ સવાલ ઊભા કરી રહ્યા છે. વિરોધ પક્ષ પુછી રહ્યો છે કે, સર્જિકલ સ્ટ્રાઈક શા માટે કરી અને તેના પુરાવા ક્યાં છે? પંકજાએ વધૂમાં કહ્યું કે, " રાહુલ ગાંધીના શરીર પર બોમ્બ બાંધી દેવો જોઈએ અને તેમને કોઈ અન્ય દેશમાં મોકલી દેવા જોઈએ. તેઓ ત્યારે સમજશે."

ઉલ્લેખનીય છે કે, પંકજા મુંડે વિવાદોમાં સતત ઘેરાતી રહી છે. ક્યારેક દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં સેલ્ફી ખેંચવી, ક્યારેક પોતાના દિવંગત પિતા અને ભાજપના નેતા ગોપીનાથ મુંડેના ગુરૂ મહંત નામદેવ શાસ્ત્રી સાથે ઝઘડો કરી બેસવો. આ અગાઉ, તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પરોક્ષ રીતે નિશાન સાધવા માટે ચર્ચામાં રહી છે. 

પંકજા મુંડએ મરાઠા અનામત અંગે કહ્યું હતું કે, જો તે મુખ્યમંત્રી હોત તો આ મુદ્દે નિર્ણય લેવામાં જરા પણ સમય ન બગાડતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news