નોકરી-વેપારમાં થશે હાનિ, મંગળ અસ્ત કરશે કષ્ટ, સતર્ક રહો આ રાશિવાળા લોકો

Mangal Asta in Kanya Rashi: હિંમત, બહાદુરી, જમીન અને લગ્નનો કારક મંગળ અસ્ત થઈ રહ્યો છે. કન્યા રાશિમાં રહેલો મંગળ અશુભ પરિણામ આપશે. તેથી, આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના લોકોએ ખૂબ જ સાવધ રહેવું જોઈએ.

નોકરી-વેપારમાં થશે હાનિ, મંગળ અસ્ત કરશે કષ્ટ, સતર્ક રહો આ રાશિવાળા લોકો

Mangal Asta in Kanya Rashi: વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવ્યો છે. લગ્ન સમયે કુંડળીમાં મંગળની સ્થિતિ મુખ્ય જોવામાં આવે છે. હાલમાં મંગળ કન્યા રાશિમાં છે. 24મી સપ્ટેમ્બરે સાંજે 06.26 કલાકે મંગળ કન્યા રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. કન્યા રાશિનો સ્વામી મંગળ અને બુધ શત્રુ ગ્રહો છે. મંગળનું શત્રુ ગ્રહની રાશિમાં અસ્ત થવું શુભ નથી. આ કારણે મંગળ શક્તિહીન બનશે અને અશુભ પરિણામ આપશે. મંગળની સ્થિતિ દરેક રાશિના લોકોને પ્રભાવિત કરશે અને મંગળ 3 રાશિના લોકોને અશુભ પરિણામ આપશે. આ લોકોએ 24 સપ્ટેમ્બર 2023 પછી સાવધાન રહેવું જોઈએ.

મંગળ અસ્તની નકારાત્મક અસર
મેષઃ

મેષ રાશિના જાતકોને મંગળ અશુભ પરિણામ આપશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે. નોકરી કરતા લોકોએ સાવધાન રહેવું જોઈએ. તમારા બોસ તમારાથી નારાજ થઈ શકે છે. તમને તમારી મહેનતનું પૂરું ફળ નહીં મળે. કામ અટકી શકે છે. નિરાશાની લાગણી હાવી થઇ  શકે છે. વેપારમાં સમજદારીપૂર્વક રોકાણ કરો. અન્યથા નુકશાન થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે ઝઘડો અથવા મતભેદ થઈ શકે છે.

કર્કઃ
મંગળના અસ્ત થવાની પણ કર્ક રાશિના લોકો પર નકારાત્મક અસર પડશે. આ લોકોને નોકરી અને વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સખત મહેનત પછી પણ નિષ્ફળતાના કારણે તમે નિરાશ થઈ શકો છો. તમને તમારા સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે નહીં. ઉદ્યોગપતિઓના હાથમાંથી કોઈ મોટી ડીલ નીકળી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.

સિંહ:
સિંહ રાશિના જાતકો અસ્ત મંગળ પરેશાનીઓ વધારશે. તમારું ચાલુ કામ બગડી શકે છે. તમારે નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડી શકે છે. કોઈ કારણસર તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. કાર્યસ્થળ પર કોઈ સાથે વિવાદ થઈ શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. તમારા વિરોધીઓ તમારા પર હાવી થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 

શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, જો તમને ખબર હોય તો તમારે બેંકમાં જવું નહીં પડે
લોકસભા ચૂંટણીમાં વોટ નહી આપનારના ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા, જાણો શું છે સચ્ચાઇ?
શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news