'આપ'નો ચહેરો ઇસુદાન ગઢવી કઇ રીતે એક ખેડૂત પુત્રમાંથી રાજનેતા બન્યા?

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઇશુદાન ગઢવીએ ટીવી ચેનલમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇશુદાન ગઢવી પોતાની સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે. જો કે કોણ છે ઇશુદાન ગઢવીની આ કારકિર્દી પણ ખુબ જ રસપ્રદ છે. 

'આપ'નો ચહેરો ઇસુદાન ગઢવી કઇ રીતે એક ખેડૂત પુત્રમાંથી રાજનેતા બન્યા?

અમદાવાદ : આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઇશુદાન ગઢવીએ ટીવી ચેનલમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇશુદાન ગઢવી પોતાની સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે. જો કે કોણ છે ઇશુદાન ગઢવીની આ કારકિર્દી પણ ખુબ જ રસપ્રદ છે. 

વિદ્યાપીઠમાં અભ્યાસ અને દુરદર્શનથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ
39 વર્ષના ઇશુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમને દુરદર્શનનાં યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે ETV ગુજરાતીમાં જોડાયા હતા. ઇટીવીમાં તેમણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ડાંગ તથા કપરાડા તાલુકાનાં બિનકાયદેસર વૃક્ષ છેદનનાં 150 કરોડનાં કૌભાંદના મુદ્દાને ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કર્યા હતા. આ રિપોર્ટનાં કારણે સરકાર પણ ઉંઘતી ઝડપાઇ હતી. આ અહેવાલ બાદ સરકારે કાર્યવાહી કરવી પડી હતી. જેના કારણે ઇસુદાન ગઢવીએ નિડર પત્રકારની ઓળખ મળી હતી. 

ઇટીવી બેખોફ પત્રકાર તરીકેની છાપ કેળવી
2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં ઇટીવી ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 ઇસુદાન ગઢવીએ ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. 2015માં વીટીવીમાં ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. જ્યાં તેમનો મહામંથન નામનો કાર્યક્રમ ખુબ જ ખ્યાતી પામ્યો હતો. જો કે તેઓએ આખરે આ પદ પરથી પણ રાજીનામું આપીને આપનું ઝાડુ પકડ્યું હતું. ઇસુદાન હાલ અમદાવાદ ખાતે પોતાનાં માતા, પત્ની અને બે સંતાનો સાથે રહે છે. 

રાજનેતા તરીકે રાજનીતિની ગંદકી સાફ કરવાની નેમ
આ અંગે ઇસુદાને કહ્યું કે, જનતાએ મને ખુબ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષનાં પત્રકારત્વ દરમિયાન મે વિચાર્યું પણ નહોતું કે હું આ સ્ટેજ પર હોઇશ. એક પત્રકાર તરીકે મે મારાથી બનતા પ્રયાસો કરી લોકોને ન્યાય મળે તેવા પ્રયાસો કર્યા છે. એક સમયે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જો કે હવે સિસ્ટમની ગંદકી દુર કરવા માટે રાજનીતિમાં ઉતરવાનું નક્કી કર્યું છે. ગુજરાતનો ઇતિહાસ હવે બદલાવા જઇ રહ્યો છે. હવે રાજનીતિમાંથી ગંદકી સાફ કરીશ, જે કામ કરવામાં કોંગ્રેસ નબળું રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news