સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે

સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે
  • સોમનાથ મંદિર તેમજ પ્રભાસ પાટણમાં અનેક એવા ઐતિહાસીક સ્થળો છે, જ્યાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપે તો ઐતિહાસીક ધરોહરનો ખજાનો નીકળી શકે છે
  • જો પુરાતત્વ દ્વારા ખોદકામ કરવામાં આવે તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે. પરંતુ આ રિપોર્ટ આપ્યાને ત્રણ-ત્રણ વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી

હેમલ ભટ્ટ/સોમનાથ :સોમનાથ મંદિરની આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભૂગર્ભમાં આધુનિક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેમાં સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભૂગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ (somnath temple) ના ટ્રસ્ટીની 2017 માં દિલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે  સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.

2017 માં જ્યારે ટ્રસ્ટીની દિલ્હી ખાતે બેઠક મળી તેમા ટ્રસ્ટી જે.ડી. પરમારના સૂચનને તાત્કાલિક તમામ ટ્રસ્ટીઓએ ધ્યાનમાં લીધા હતા. તેના અનુસંધાને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી આઇઆઇટી ગાંધીનગરની સહયોગી એવી ભારતની ચાર સંસ્થાના પ્રતિનિધિઓ સોમનાથ આવ્યા હતા. તેઓએ પ્રભાસ પાટણના સોમનાથ મંદિરના આજુબાજુના ચાર વિસ્તારમાં જીપીઆર ઇન્વેસ્ટિગેશન સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થળ ગોલોકધામ, બીજી જગ્યા સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ત્રીજુ સ્થળ બુદ્ધ ગુફા, ચોથુ સ્થાન સોમનાથ મંદિરનુ પરિસર, જયાંથી મંદિરમાં જવા માટે પ્રવેશ સ્થળ છે તે જગ્યાઓએ પુરાતત્વ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો આર્કિયોલોજીકલનો સંશોધન 32 પાનનો નક્શા સાથેનો રિપોર્ટ 2017 માં સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : બાલાજી વેફર્સ યુપીમાં 100 એકર જગ્યામાં ફૂડ પાર્ક બનાવશે, એક સમયે સિનેમાની કેન્ટીનથી શરૂ કર્યો હતો બિઝનેસ

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી ગાંધીનગર અને ભારતની આઇઆઇટી એવી ચાર સંસ્થાના નિષ્ણાતો આશરે પાંચ કરોડની કિંમતના મોટા મશીનો સાથે પ્રભાસ પાટણ આવ્યા હતા. સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લેઆઉટ પ્લાન તૈયાર કરી સરવે કર્યો હતો. જે સ્થળોએ 2 મીટર થી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે છે, તેના પરથી નિષ્ણાત પોતાના અભિપ્રાય આપે છે. તેના પરથી રિપોર્ટ તૈયાર થાય છે. આ રિપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથમાં આવેલ ગૌલકધામમાં આવેલ ગીતામંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે સરવે કરી જણાવ્યું કે....

  • હિરણ નદીના કાંઠે ભૂગર્ભમાં પાકુ બાંધકામ છે. 
  • બીજી જગ્યાનો સરવે કરાયો, જેમાં સોમનાથ મંદિર મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે જ્યાં જુનો કોઠાર નામે બાંધકામ હતું. જે દૂર કરવામાં આવ્યું હતું. અહીં ભૂગર્ભમા ત્રણ માળ કરતા વધારે બાંધકામ હોવાની શક્યતા મળી આવી છે. અઢી મીટરનો એક માળ, બીજો પાંચ મીટર બીજો માળ અને ત્રીજો સાડાસાત મીટર એમ ત્રણ માળાનું બાંધકામ આધુનિક મશીનની ક્ષમતા પ્રમાણે જોવા મળ્યું છે. 
  • જ્યારે સાઇડ ત્રણમાં સોમનાથ પ્રવેશ પોલીસ ચોકી, જ્યાંથી મંદિર ની અંદરે પ્રવેશ થાય છે ત્યાં L આકારનું બાંધકામ ભૂગર્ભમાં જોવા મળ્યું છે. 
  • સાઇડ ચાર કે જે ત્રિવેણી સંગમ જતા રોડ પાસે બુધ્ધ ગુફા આવેલ છે ત્યાં રિપોર્ટ પ્રમાણે ભૂગર્ભમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાની ગુફા હોવાની શક્યતા છે. તો એ જ જગ્યાએ ધાતુની કોઇ મૂર્તિ અથવા ધાતુ હોવાના વાઇબ્રેશન આવતા હોવાથી ધાતુની બુદ્ધની પ્રતિમા એવા કોઇ બીજા સાધનો મળે તેવી શક્યતા છે. 

આ પણ વાંચો : પોતાના નેતાઓને બોલવામાં સરકારની જીભ કેમ ઉપડતી નથી? વડોદરામાં ભાજપના નેતા બન્યા બેફામ

સોમનાથ મંદિર તેમજ પ્રભાસ પાટણમાં અનેક એવા ઐતિહાસીક સ્થળો છે, જ્યાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપે તો ઐતિહાસીક ધરોહરનો ખજાનો નીકળી શકે છે. જેમ કે, પ્રભાસમાં સૂર્યનારાયણની બાર કળાના 12 મંદિર હતા. જેમાંથી માત્ર એક જ મંદિર હાલ હયાત છે. હીંગળાજ માતાજીની ગુફા જેવા અનેક સ્થળો છે. 

આ સંસ્થાના નિષ્ણાતોએ પોતાના સંશોધન નિષ્પક્ષ આપી અને સોમનાથ ટ્રસ્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, તે ઘણો મહત્વનો છે. જો પુરાતત્વ દ્વારા ખોદકામ કરવામાં આવે તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે. પરંતુ આ રિપોર્ટ આપ્યાને ત્રણ-ત્રણ વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news