આ દર્દીઓ માટે મોટા સમાચાર! ભવિષ્યમાં નામોનિશાન થઈ જશે ડાયાબિટીસ, સ્ટડીમાં મળી મોટી સફળતા
Diabetes: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનો હાલ સુધી કોઈ અસરકારક ઈલાજ શોધી શકાયો નથી, તેમ છતાં પ્રયાસો ચાલુ છે. હવે સેલ્સમાં રહેલ માઈચોકોન્ડિયામાંથી સારવારનું માધ્યમ શોધવામાં આવી રહ્યું છે.
Trending Photos
Diabetes: રિસર્ચર્સે સ્ટડીમાં શોધી કાઢ્યું છે કે, શરીરના કોષો માટે ઉર્જા ઉત્પન્ન કરતા માઇટોકોન્ડ્રિયા ડાયાબિટીસની સારવાર માટે ચાવીરૂપ છે. ડાયાબિટીસ ટાઈપ 2 જેવી બીમારીઓનો સંબંધ કોષોની અંદર રહેલ "માઇટોકોન્ડ્રિયા"માં ખરાબીથી થાય છે. આ બીમારીથી પીડિત દર્દીઓ પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે અથવા બ્લડ સુગરને સામાન્ય સ્તર પર બનાવી રાખવા માટે પોતાના સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદિત ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતા નથી.
ઉંદરો પર કરવામાં આવ્યો પ્રયોગ
કેટલીક સ્ટડીઝમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓના ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા સ્વાદુપિંડના કોષોમાં માઈટોકોન્ડ્રિયા અસામાન્ય હોય છે અને તે ઊર્જા ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે. જો કે, આ સ્ટડી સ્પષ્ટ કરવામાં અસમર્થ રહી છે કે, કોષો આ રીતે કેમ વર્તે કેમ કરે છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ મિશિગન (University of Michigan)ના રિસર્ચર્સે ઉંદર પર પ્રયોગ કરીને દર્શાવ્યું કે સારી રીતે કામ ન કરનારા માઈટોકોન્ડ્રિયા એક એવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે, જે આ કોષોની પરિપક્વતા અને કાર્યને પ્રભાવિત કરે છે.
શું કહે છે રિસર્ચર્સ
ઈન્ટરનલ મેડિસિનના રિસર્ચ પ્રોફેસર અને સ્ટડીની પહેલી લેખિકા એમિસી એમ વોકરે કહ્યું કે, "અમે એ નક્કી કરવા માગતા હતા કે યોગ્ય માઇટોકોન્ડ્રિયલ ફંક્શનને બનાવી રાખવા માટે કયા માર્ગો મહત્વપૂર્ણ છે." ટીમે ત્રણ ઘટકોને નુકસાન પહોંચાડ્યું જે માઇટોકોન્ડ્રિયાના કાર્ય માટે જરૂરી છે: તેમના ડીએનએ, ક્ષતિગ્રસ્ત મિટોકોન્ડ્રિયાથી છુટકારો મેળવવા માટે વપરાતો એક માર્ગ અને એક જે કોષમાં માઈટોકોન્ડ્રિયાના તંદુરસ્ત પૂલને જાળવી રાખે છે.
ડાયાબિટીસનું સમાધાન
વોકરે કહ્યુ કે, "ત્રણેય સ્થિતિમાં શરીરમાં એક જ પ્રકારની તનાવ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. તેના કારણે સ્વાદુપિંડના કોષો અપરિપક્વ બનાવી દીધા, જેનાથી તે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા નથી અને આખરે સ્વાદુપિંડના કોષો અસ્તિત્વમાં રહી નહીં. અમારા પરિણામોમાં જાણવા મળ્યું કે માઈટોકોન્ડ્રિયા સેલ ન્યુક્લિયસને સિગ્નલ મોકલી શકે છે અને કોષની કાર્ય કરવાની રીત બદલી શકે છે," સંશોકર્તાઓએ માનવ સ્વાદુપિંડના આઇલેટ કોષોમાં તેમના તારણોની પુષ્ટિ પણ કરી.
સ્વાદુપિંડના કોષોનું નષ્ટ થવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું સીધું કારણ છે. આ અભ્યાસથી અમને સમજવામાં મળી છે કે, આ કેવી રીતે થાય છે અને આ સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધી શકાય છે. ટીમ તે સેલ્યુલર માર્ગોનું વધુ વિશ્લેષણ કરવા માટે કામ કરી રહી છે જે વિક્ષેપિત છે, અને તેમને ઉમ્મીદ છે કે તેઓ ડાયાબિટીસના દર્દીઓના સેલ સેમ્પલમાં તેમના પરિણામોની નકલ કરી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે