આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ: જાણો ગુજરાત સરકારે કેવી કરી છે ભક્તો માટે વ્યવસ્થા?
અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025'નો ભવ્ય પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. 9થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજા લઈને આવ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/અંબાજી: કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગબ્બર તળેટીમાં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરોના દર્શનનો લાભ મળે તેને લઇ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતુ ધાર્મિક સ્થળ બન્યું છે.
2014માં વિવિધ દેશ વિદેશ માં સ્થાપિત થાયેલા હોય તેજ પ્રકાર ના મંદિરો ની સ્થાપના સાસ્ત્રોક વિધિ પ્રમાણે ગબ્બર માં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ શક્તિપીઠ મંદિરો ની પરિક્રમા નું પણ આયોજન હાથ ધરાયુ છે. તેનો આજે પાટોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
જોકે આ પરિક્રમા મહોત્સવ ના પ્રારંભે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી એ ધ્વજા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આજે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે, જયારે આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાતા ગબ્બર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જોકે આજે સાંજે ગુજરાત ના મુખ્યમંત્રી પણ અંબાજી ખાતે પહોંચનાર છે ત્યારે રૂપિયા 13 કરોડ ના ખર્ચે બનેલા અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલય નું લોકાર્પણ કરશે અને ગબ્બર પરિક્રમા મહોત્સવ માં ગંટળી યાત્રાનો પણ પ્રારંભ કરાવી દિવ્યાંગ લાભાર્થીઓ ને વિવિધ યોજનાના લાભોનું પણ વિતરણ કાર્યક્રમ યોજશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે